September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

કાળો દોરો બાંધવાથી થાય છે ઘણા ફાયદા, શરીરના કયા ભાગમાં પહેરવો? શનિ દેવ સાથે છે સંબંધ

ધાર્મિક કારણોસર કાળો દોરો પહેરવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. સામાન્ય રીતે છોકરીઓના પગમાં, બાળકોની કમરમાં અને પુરુષોના ગળામાં કાળો દોરો જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે કાળો દોરો બાંધવાથી કોઈની ખરાબ નજર લગતી નથી અને સકારાત્મક પરિણામ મળે છે અને. કાળો દોરો સ્વાસ્થ્ય માટે સારા લાભ પણ આપે છે. અહીં તમે જાણી શકશો કે કાળો દોરો પહેરવાના ફાયદા અને શરીરના કયા અંગો પર બાંધવું સૌથી વધુ શુભ અને ફાયદાકારક છે.

કાળો દોરો પહેરવાના ફાયદા

  • કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેને આવી રીતે પહેરવાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત બને છે.
  • કાળો દોરો પહેરવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
  • શનિ દોષથી રાહત મેળવવા માટે ગળામાં કે હાથમાં કાળો દોરો બાંધવો શુભ છે.
  • કાળો દોરો પહેરવાથી કોઈની ખરાબ નજર નથી આવતી.

જો તમે કોઈ ગંભીર બીમારીથી પરેશાન છો તો ઈલાજ કરાવવાની સાથે તમારી કમરની આસપાસ કાળો દોરો બાંધો. તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે.

કઈ રાશિના જાતકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ?(Which Zodiac Signs Should Not Wear Kala Dhaga): મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ. કારણ કે આ બંને રાશિઓનો સ્વામી મંગલ દેવ છે. માન્યતાઓ અનુસાર મંગલ દેવને કાળો રંગ બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં જો આ રાશિના લોકો કાળો દોરો પહેરે તો ધનલાભની જગ્યાએ નુકસાનની શક્યતા વધુ રહે છે.

શરીરના કયા ભાગમાં કાળો દોરો બાંધવો શુભ છે?

  • જો તમે કોઈ રોગથી પરેશાન હોવ, તો કમરની આસપાસ કાળો દોરો બાંધવો જોઈએ. તેનાથી બીમારીમાં થોડી રાહત મળશે.
  • જો તમે ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા હોવ અને ક્યાંયથી મદદ ન આવી રહી હોય તો તમારે તમારા હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ.
  • એવું કહેવાય છે કે જો તમે તમારા પગના અંગૂઠાની આસપાસ કાળો દોરો બાંધો છો, તો તમને કોઈની ખરાબ નજર નથી લાગતી. અંગૂઠામાં કાળો દોરો બાંધવાથી પણ નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
  • સગર્ભા સ્ત્રીઓએ કાળા દોરાની 7 ગાંઠો બાંધીને પગમાં પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પ્રેગ્નન્સીમાં થતા દુખાવામાં રાહત મળે છે.
  • શનિની ખરાબ નજરથી બચવા માટે ગળામાં કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે. આના કારણે શનિને કારણે થતી પરેશાનીઓ ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.
  • જો દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમારા હાથની આસપાસ કાળો દોરો બાંધવો જોઈએ. આનાથી તમારા શત્રુઓનો પરાજય થશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us