રાષ્ટ્રવાદી કોન્ગ્રેસે (શરદ પવાર) બુધવારે પોતાની ત્રીજી યાદીમાં આઘાડીમાં તેમના ફાળે આવેલી 10 બેઠકમાંથી બાકી રહેતી 3 બેઠક પૈકી શશીકાંત શિંદેને સાતારા, શ્રીરામ પાટીલને રાવેર સંસદીય મતવિસ્તારમાંથી ઉતાર્યા છે. ઉપરાંત માઢા લોકસભા બેઠક પરથી ધૈર્યશીલ મોહિતેનું નામ ફાઈનલ કરાયું છે. તેઓ તુરાઈ (ટ્રમ્પેટ) ચિહન પરથી ચૂંટણી લડશે. તેઓ 13 એપ્રિલે સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શરદ પવારે 7 બેઠક પર તેમના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે આઘાડીમાં કોન્ગ્રેસના 4 ઉમેદવારનાં નામ જાહેર કરવાનાં બાકી છે. આમ કુલ 48 લોકસભા બેઠકો પૈકી 45 લોકસભા મતવિસ્તાર પર આઘાડીના સહયોગી પક્ષોએ ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

One thought on “રાષ્ટ્રવાદી કોંગ્રેસના પવાર જૂથની ત્રીજી યાદી જાહેરઃ ધૈર્યશીલ પવાર જૂથના ચિહનથી લડશે”
  1. […] લાલ ફૂલ, તંદુરસ્ત બની જશે હાર્ટ-લિવર રાષ્ટ્રવાદી કોંગ્રેસના પવાર જૂથની ત્… વિકાસના નામે મુલુંડમાં ખોદી કાઢેલા […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us