સાડા ત્રણ મૂહૂર્તોમાંના એક ગુડી પડવાના દિવસે નવી વસ્તુઓ, વાહનો, ઘર ખરીદી પર વધુ ભાર અપાતો હોય છે. તેજ રીતે પડવાને દિવસે કેરીની ખરીદી પણ મોટે પાયે થતી હોય છે. આથી ગુડી પડવાના અવસરે વાશીની એપીએમસી માર્કેટમાં ૯૫,૨૪૦ પેટી ભરી કેરીની આવક થઈ હતી. તેમાંની ઘણી પેટીઓ એજ દિવસે વેચાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
મુંબઈની જથ્થાબંધ માર્કેટમાં કેટલાંક દિવસથી કેરીની આવક વધવાની શરુ થઈ ગઈ છે.આવક વધી હોવા છતાં ભાવ સ્થિર જ છે. વાતાવરણમાં ગરમી વધતાં આંબાનો ફાલ વહેલો ઉતર્યો છે. આથી બજારમાં આફૂસની આવક વધી રહી છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/21-2.jpg)
પડવાના મૂહૂર્તે માર્કેટમાં દેવગડ, રત્નાગિરીથી ૬૭,૦૧૬ પેટી તો અન્ય રાજ્યોની ૨૮,૧૪૪ મળી કુલ ૯૫,૪૨૦ પેટી દાખલ થઈ હતી. છતાંય આંબાની પેટીના માર્કેટમાં ૨૦૦૦ થી ૨૫૦૦ તો ઉચ્ચ કોટિની પેટીના ૩૦૦૦ થી ૪૦૦૦ રુપિયા ભાવ બોલાઈ રહ્યાં છે.
ગુડી પડવાને દિવસે ખાસ કરી મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં કેરીનો રસ તથા પુરણપોળીનું ભોજન બનતું હોય છે. વળી આ દિવસે વણજોયું મૂહૂર્ત હોવાથી અનેક શુભ પ્રસંગો પણ આ દિવસે યોજાતાં હોય છે. આથી તેમાં પણ જમણવારમાં કેરી તથા કેરીના રસની માગણી તથા દાન માટે પણ કેરી મોટા પાયે ખરીદાતી હોય છે. આથી ગુડી પડવાના દિવસે એપીએમસી માર્કેટમાં કેરીની આવક અને ખરીદીને લઈને અનોખો માહોલ જોવા મળતો હોય છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/30-1.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)