September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મુંબઈ-ગોવા માર્ગ પર વંદે ભારતનું પરીક્ષણ

મુંબઈ-ગોવા માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે. એના માટે મંગળવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યારે મુંબઈથી શિર્ડી દોડતી ટ્રેનનો ઉપયોગ આ પરીક્ષણ માટે કરવામાં આવ્યો હતો. ગોવાની દિશામાં સીએસએમટીથી સવારના 5.35 કલાકે 16 ડબ્બાની વંદે ભારત છોડવામાં આવી હતી જે મડગાવ બપોરે 2.30 કલાકે પહોંચી હતી. વંદે ભારતને મળતો પ્રતિસાદ જોતા મુંબઈ-ગોવા માર્ગ પર એક્સપ્રેસ ચલાવવાની માગણી પ્રવાસીઓએ કરી હતી.

મુંબઈથી છૂટતી વંદે ભારત એક્સપ્રેસ માટે આ ચોથો રૂટ હશે. આ પહેલાં મુંબઈ-ગાંધીનગર, મુંબઈથી શિર્ડી અને મુંબઈથી સોલાપુર રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. આ રૂટ પર મળતા ઉત્તમ પ્રતિસાદ બાદ મુંબઈ-ગોવા રૂટ પર પણ હવે આ એક્સપ્રસ દોડાવવામાં આવશે. કોકણના નાગરિકોને આ નવી ટ્રેનનો ઘણો ફાયદો થશે. મુંબઈથી ગોવા જવા માટે હાઈસ્પીડ રેલવેનો વિકલ્પ ઉપલબ્ધ થશે. મુંબઈ-ગોવા રેલવે માર્ગ પર વંદે ભારતની ટેસ્ટ લેવામાં આવી હતી. મુંબઈથી મડગાવ સુધી આ ટ્રેન દોડાવવામાં આવી હતી. વંદે ભારતની સ્પીડ ઘણી સારી હોવાથી ઓછા સમયમાં ગોવા પહોંચવું શક્ય થશે.

આ એક્સપ્રેસની સ્પીડ કલાકના 180 કિલોમીટર છે. આ અત્યાધુનિક ટ્રેનમાં જીપીએસ બેઝ્ડ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, બાયો વેક્યુમ ટોઈલેટ્સ, ઓટોમેટિક દરવાજા, વાયફાય અને રિજનરેટીવ બ્રેકિંગ સિસ્ટમ છે. મુંબઈથી દોડનારી ચોથી વંદે ભારત : આ પહેલાં મહારાષ્ટ્રને ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. મુંબઈથી ગુજરાતના ગાંધીનગર સુધી પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. એ પછી સીએસએમટીથી શિર્ડી અને સીએસએમટીથી સોલાપુર એમ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ત્રણ રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસને પ્રવાસીઓનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.

ટેસ્ટ સફળતા પછી ગ્રીન સિગ્નલ
વંદે ભારત એક્સપ્રેસની મુંબઈ-ગોવા માર્ગ પર ટેસ્ટ સફળ થયા પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટ્રેનને ગ્રીન સિગ્નલ દેખાડવામાં આવે શક્યતા છે. મતલબ કે ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી મડગાવના રૂટ પર દોડશે જેના લીધે કોકણના નાગરિકો સહિત પર્યટકોને ઘણી રાહત થશે અને ગોવાનો પ્રવાસ આનંદદાયક થશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us