એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે વાનખેડેએ જાણ કર્યા વિના બે વિદેશ યાત્રાઓ કરી હતી. વાનખેડે અને રેડકરે તે પ્રવાસો પર રૂ. 29.75 લાખ ખર્ચ્યા હતા, જ્યારે તેમની સંયુક્ત આવક રૂ. 45 લાખ હતી. વિવાદાસ્પદ IRS અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede)
એનસીબી મુંબઈ ઝોનના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેના (Sameer Wankhede) ઘર પર ભ્રષ્ટાચારના કેસમાં CBIએ શુક્રવારે (12મે) દરોડા પાડ્યા. સીબીઆઈએ જણાવ્યું કે દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 19 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો