September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

MVAના ભવિષ્ય અંગે એનસીપીના આ નેતાને જ શંકા…

 મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારનું પંદર દિવસમાં પતન થવાનો શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યા પછી એમવીએના ભવિષ્યના ગઠબંધન અંગે ખૂદ એનસીપીના પ્રમુખે શંકા વ્યક્ત કરી હતી. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ભવિષ્ય અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે સ્ફોટક નિવેદન આપ્યા પછી આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી હતી. શરદ પવાર જે કહે છે, તેમાં ગંભીરતા હોય છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે રવિવારે અમરાવતીમાં કહ્યું હતું કે આજે મહારાષ્ટ્રમાં આઘાડી છે, પરંતુ આવતીકાલે શું થશે તેના અંગે કંઈ કહી શકાય નહીં, એમ શિંદેએ જણાવ્યું હતું.

શરદ પવાર અનુભવી નેતા છે અને તેમનું નિવેદન પણ મહત્ત્વપૂર્ણ છે. તેઓ જે કહે છે, તેમાં ગંભીરતા હોય છે. લોકોને જે કહેવું હોય તે કહે, પરંતુ મારે તો બસ આટલું જ કહેવું છે, એમ તેમણે જણાવ્યું હતું.

રવિવારે એનસીપીના સુપ્રીમો શરદ પવાર અમરાવતી જિલ્લાની મુલાકાતે હતા, જ્યાં તેમણે મહાવિકાસ આઘાડીના ગઠનબંધનને લઈ નિવેદન આપ્યું હતું, તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આજે આઘાડી છે. અમારી ઈચ્છા છે કે અમે સાથે કામકાજ કરીએ, પરંતુ ઈચ્છાથી શું થાય? આગામી વર્ષોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી છે.

આગામી દિવસોમાં આઘાડી રહેશે યા નહીં તેના અંગે કોઈ ચર્ચા થઈ નથી. શરદ પવારના નિવેદન પછી શિવસેના (ઉદ્વવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવવાનો જ હતો. પવારના નિવેદન મુદ્દે સૌથી પહેલા સંજય રાઉત આગળ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આઘાડીમાં બધુ બરાબર છે. આ મુદ્દે રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી રહેશે. 2024ની ચૂંટણી પણ મહાવિકાસ આઘાડી સાથે રહીને લડશે. શરદ પવારની મુખ્ય ભૂમિકા પહેલા હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે.

એનસીપીના શરદ પવારે એમવીએના ભવિષ્ય અંગે શંકા કરી હતી, પરંતુ આ અગાઉ સંજય રાઉતે વર્તમાન સરકારના ભવિષ્ય અંગે ગંભીર દાવા કર્યા હતા. એટલે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઊથલપાથલ થાય તો નવાઈ રહેશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us