September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

ઓડિશા ટ્રેન અકસ્માત: કપાયેલા શરીર, ચોંટી ગયેલી બોગીઓ, દર્દનાક બૂમો પાડતા લોકો…મૃત્યુઆંક 233 પર પહોંચ્યો

ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે

ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 233 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જાણો લેટેસ્ટ અપડેટ…

સેના પણ રાહત કાર્યમાં સામેલ
શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે. એનડીઆરએફને બોગીઓ વચ્ચે ફસાયેલા મૃતદેહો કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો છે. જ્યારે અનેક ઘાયલો એવા પણ છે જે ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે. બચાવ અભિયાનમાં મદદ માટે સેનાએ પણ હાથ આગળ વધાર્યો છે. જે ભાગમાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે  ટકરાઈ તે ભાગમાંથી મુસાફરોના મૃતદેહો મળી રહ્યા છે. 

સીએમ નવીન પટનાયકની રાજકીય શોકની જાહેરાત
શુક્રવારે થયેલા રેલ અકસ્માત અંગે સીએમ નવીન પટનાયકે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 3 જૂનના રોજ એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આથી સમગ્ર રાજ્યમાં 3 જૂનના રોજ કોઈ ઉત્સવ મનાવવામાં નહીં આવે. ઓડિશાના સૂચના અને જનસંપર્ક વિભાગે આ જાણકારી આપી. 

અકસ્માતને લઈને જે પ્રેસ  રિલીઝ સામે આવી તે મુજબ ટ્રેન સંખ્યા 12841 (કોરોમંડલ એક્સપ્રેસ)ના કોચ બી2થી બી9 સુધીના કોચ પલટી ગયા હતા. જ્યારે એ1-એ2 કોચ પણ ટ્રેક પર ઊંધા જઈ પડ્યા. આ સાથે જ એન્જિન પણ પાટા પરથી ઉતરી ગયું અને છેલ્લે કોચ એચ1 અને જીએસ કોચ ટ્રેક પર રહી ગયા. એટલે કે કોરોમંડલ એક્સપ્રેસમાં મૃતકોની સંખ્યા વધી શકે છે અને એસી બોગીમાં સવાર મુસાફરોમાં જાનહાનિ વધુ હોવાની આશંકા છે. 

અકસ્માતના કારણોની તપાસ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટના કયા કારણે ઘટી  તેની તપાસ માટે મે એક ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. જેના મૂળ કારણ સુધી પહોંચવું જરૂરી છે. બા બાજુ હોસ્પિટલોમાં ભરતી દુર્ઘટના પીડિતો માટે દવાઓ અને અન્ય જરૂરી સામગ્રીની આપૂર્તિ સંબંધમાં સચિવ શાલિની પંડિતે જણાવ્યું કે તમામ જરૂરી પ્રાથમિક સારવાર સામગ્રી, દવાઓ અને IV તરલ પદાર્થ પૂરતા સ્ટોકમાં છે. આ ઉપરાંત મયૂરભંજ જિલ્લાના ગોદામમાંથી કેટલોક વધારાનો સ્ટોક બાલેસોર માટે તરત મોકલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે દરેક સ્થિતિ માટે સતર્ક છીએ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us