બીજેપી નેતા કિરીટ સોમૈયા ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરશે. તો હવે જોવાનું રહેશે કે તેઓ કયું કથિત કૌભાંડ બહાર લાવે છે.

સોમૈયાએ શું ટ્વિટ કર્યું છે?

કિરીટ સોમૈયાએ એક ટ્વીટમાં કહ્યું, “હું ઉદ્ધવ ઠાકરે સેનાના વધુ એક BMC કોવિડ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કરીશ.” 

SIT ની સ્થાપના

દરમિયાન, દોઢ મહિના પહેલા, CAGએ મુંબઈ મહાનગરપાલિકાના કથિત 12,000 કરોડના કૌભાંડ કેસમાં દોષનો ટોપલો મૂક્યો હતો. જે બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કૌભાંડની તપાસ માટે SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર આ SITનું નેતૃત્વ કરશે. 

તેમજ આ SITમાં મુંબઈ પોલીસ કમિશનર સહિત અન્ય વિભાગોના પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સંયુક્ત પોલીસ કમિશનર, આર્થિક ગુના શાખા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર, આર્થિક ગુના શાખા અને અન્ય અધિકારીઓનો સમાવેશ થશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us