મુંબઈ રેલવેમાં સૌથી મોટું નેટવર્ક મધ્ય રેલવે પાસે છે, જેમાં ત્રણ કોરિડોરમાં ટ્રેનો દોડાવવામાં આવે છે. મેઈન લાઈનમાં સીએસએમટીથી કલ્યાણ કોરિડોરનો સમાવેશ થાય છે, જ્યારે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં લોકલ ટ્રેનોને દોડાવાય છે, જેમાંથી આ બંને કોરિડોરમાં લોકલ ટ્રેનોને વધુ ઝડપ (કલાકના 100 કિલોમીટરની સ્પીડ)થી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મધ્ય રેલવે હાર્બર લાઈનમાં સિંગલ કોરિડોર હોવાને કારણે પ્રવાસીઓને ફક્ત સ્લો કોરિડોરમાં ટ્રાવેલ કરવાનું નસીબમાં રહે છે, તેમાંય વળી મોટા ભાગે લોકલ ટ્રેનો મોડી પડતી હોય છે જેને લીધે લાંબી મુસાફરી કરતાં પ્રવાસીઓને મુસાફરી કરવામાં હાલાકી પડે છે.

આ સમસ્યાને ઉકેલવા મધ્ય રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સ લાઇનમાં લોકલ ટ્રેનની સ્પીડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્બર અને ટ્રાન્સ હાર્બર આ બંને લાઇનની લોકલ ટ્રેનોની સ્પીડને વધારીને કલાકના ૮૦ કિલોમીટરમાંથી વધારીને ૧૦૦ કિમી કરવામાં આવી છે.

હાલમાં મુંબઈના સીએસએમટીથી પનવેલ જવા માટે લગભગ એક કલાક ૨૦ મિનિટનો પ્રવાસ કરવો પડે છે તેમ જ થાણેથી વાશીની મુસાફરી માટે ૩૦ મિનિટનો સમય લાગે છે. લોકલ ટ્રેનની સ્પીડ ૮૦ કિમીમાંથી વધારીને ૧૦૦ કિલોમીટર કર્યા બાદ આ પ્રવાસનો સમય અંદાજે ૧૦ મિનિટથી ઘટી ગયો છે. આ નિર્ણયથી લોકલ ટ્રેનો સમયસર સ્ટેશને પહોચતા મુસાફરી ઝડપી બનશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

હાર્બર લાઈનમાં સીએસએમટી અને તિલકનગર સ્ટેશન વચ્ચેના દર બે રેલવે સ્ટેશનોની વચ્ચેનું અંતર લગભગ એકથી બે કિલોમીટર જેટલું છે, તેથી દરેક સ્ટેશન પર લોકલ ટ્રેનની સ્પીડ ઘટાડીને ફરી વધારવી પડે છે. પણ તિલકનગર સ્ટેશન પછી સ્ટેશનો વચ્ચેનું અંતર વધારે હોવાથી લોકલ ટ્રેનોની સ્પીડને વધારવું શક્ય છે. હાર્બર લાઇનમાં લોકલ ટ્રેનોની સ્પીડ વધારતા બે સ્ટેશનો વચ્ચેની મુસાફરીના સમયમાં ઓછો સમય લાગશે, જેથી ઓફિસ જનાર પ્રવાસીઓ માટે તે લાભદાયક સાબિત થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us