કાંદિવલી (પૂર્વ)માં સોમવારે વહેલી સવારે 23 માળની એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. એસઆરએ બિલ્ડિંગના 13મા માળે ડક્ટ એરિયામાં આ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બુઝાવી દીધી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કાંદિવલી (પૂર્વ)માં સમર્થવાડીમાં આર્કુલી રોડ પર મહિન્દ્રા યેલો ગેટ પાસે એસઆરએ બિલ્ડિંગ આવેલી છે. વહેલી સવારના લગભગ પાંચ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના નવમા માળથી 14 માળ સુધીના ઈલેક્ટ્રિક્ટ ડેક્ટ એરિયામાં આગ ફાટી નીકળી હતી.આગની જાણ થતા રહેવાસીઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓ સહિત આજુબાજુની ઈમારતના લોકોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp