મહારાષ્ટ્રમાં છેલ્લાં ચોવીસ કલાકમાં નાસિકમાં બે સહિત રાજ્યમાં ચાર જણ ઉષ્માઘાતનો ભોગ બન્યા છે.

નાસિક જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ હોવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શનિવારે નાસિક જિલ્લાના રાહુરી ગામે એક ખેડૂત અને માલેગાંવ પાસે એક ટ્રક- ડ્રાઇવરનું હિટ-સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું. જ્યારે છત્રપતિ સંભાજીનગરમાં અને નાંદેડમાં એક-એક વ્યક્તિ ઉષ્માઘાતનો ભોગ બની છે.

નાસિકના દેવલાલી કેમ્પ પોલીસે જણાવ્યું હતું કે સાહેબરાવ આવ્હાડ નામનો ખેડૂત ભરબપોરે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ચક્કર આવતા ઢળી પડયો હતો. તરત જ તેને દેવલાલી  કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી ઘટનામાં મુંબઇ- આગ્રારોડ પર નાસિકથી મુંબઇની દિશામાં દાળ ભરેલી ટ્રક લઇને જઇ રહેલા અકબર શાહ મહેબૂબ શાહ નામના ડ્રાઇવરે માલેગાંવની હોટેલમાં જમવા માટે ટ્રક ઉભી રાખી હતી. ટેબર પર બેઠા પછી ચક્કર આવવા લાગતા ક્લિનરે હોટેલવાળાની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી હતી. તરત તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

જ્યારે મરાઠવાડાના નાંદેડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં વિલાસ રામરાવ માદસવાર અને તાતેરાવ વાઘ ઉષ્માઘાતનો ભોગ બન્યા હતાં. શનિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉષ્ણતામાન ૪૫.૬ ડિગ્રી અકોલા જિલ્લામાં નોધાયું હતું. જ્યારે માલેગાંવમાં ૪૩.૮ ડિગ્રી અને નાસિકમાં ૩૮.૭૬ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us