September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

મહારાષ્ટમાં એકનાથ શિંદે સરકારને ‘સુપ્રીમ રાહત’, SC એ કહ્યુ- જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો સરકાર પુનઃસ્થાપિત થઈ શકી હોત

શિવસેનાના વિધાનસભ્યોના બળવાને પગલે ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધન સરકાર પડી ગઈ હતી. આ પછી, 30 જૂને, શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેની સામે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે શિવસેનાના ઉદ્ધવ અને શિંદેના મામલાને 7 જજની બેંચને મોકલી આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો નથી. તેમણે રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં કોર્ટ રાજીનામું રદ કરી શકે નહીં. અમે જૂની સરકારને પુનઃસ્થાપિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલ સાથે ધારાસભ્યોની વાતચીતમાં ક્યાંય એવો કોઈ સંકેત નથી મળ્યો, જેમાં અસંતુષ્ટ ધારાસભ્યોએ કહ્યું કે તેઓ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવા માગે છે. રાજ્યપાલે શિવસેનાના ધારાસભ્યોના એક જૂથના નિવેદન પર વિશ્વાસ કરીને ભૂલ કરી કે ઉદ્ધવ ઠાકરે પાસે બહુમતી ધારાસભ્યો નથી.

સુપ્રીમ કોર્ટની મોટી વાતો

1. 2016નો ચુકાદો સાચો ન હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો ડેપ્યુટી સ્પીકર અથવા સ્પીકર વિરુદ્ધ ગેરલાયક ઠરવાનો કેસ હશે તો તેમને કોઈ નિર્ણય લેવાનો અધિકાર રહેશે નહીં.

2. શિંદે જૂથના ગોડાવલે શિવસેનાના સત્તાવાર વ્હિપ છે કે ઉદ્ધવ જૂથના પ્રભુ છે કે કેમ તે અંગે સ્પીકરે પ્રયાસ કર્યો નથી. સ્પીકરે જાણવું જોઈએ કે રાજકીય પક્ષે વ્હીપ તરીકે કોને પસંદ કર્યા છે.

3. સ્પીકરે શિંદે જૂથના સભ્ય ગોડાવલેને વ્હીપ તરીકે નિયુક્ત કર્યા, જે નિર્ણય ગેરકાયદેસર હતો. નવેમ્બર 2019 માં, ધારાસભ્યોએ સર્વસંમતિથી ઉદ્ધવ ઠાકરેને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા.

4. મહારાષ્ટ્રમાં શિંદે અને તેમના જૂથના 15 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર મોટી બેંચ દ્વારા વિચારણા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ધારાસભ્યો સરકારમાંથી બહાર થવા માંગતા હોય તો તેઓ માત્ર જૂથ બનાવી શકે છે. પક્ષની અંદરના આંતરિક વિવાદોને ઉકેલવા માટે ફ્લોર ટેસ્ટનો ઉપયોગ કરી શકાતો નથી.

30 જૂને, શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

શિવસેનાના વિધાનસભ્યોના બળવાને પગલે ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધન સરકાર પડી ગઈ હતી. આ પછી, 30 જૂને, શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેની સામે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ મામલો 5 જજોની બંધારણીય બેંચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો આપી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us