આજકાલ આપણે સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના બનેલા સિક્કા જોઈએ છે, પરંતુ પ્રાચીન સિક્કા તાંબાના બનેલા હતા. પ્રાચીન આયુર્વેદ ગ્રંથો દર્શાવે છે કે પાણીને તાંબાના વાસણમાં રાખવાથી શુદ્ધ કરવામાં આવતું હતું. તો ચાલો જાણીએ નદીમાં સિક્કા નાખવા પાછળ શું છે આનું કનેક્શન.
આપણા માંથી ઘણા લોકોએ પોતાના જીવનમાં ક્યારે ને ક્યારે તો એવું કર્યું જ હશે. વર્ષોથી આ માનવામાં આવે છે કે એનાથી મનોકામના પુરી થાય છે. ભારતમાં નદીઓમાં વિશેષ કરીને પવિત્ર સ્થાનો પર, સિક્કા ફેંકવાની ઘણી જૂની પરંપરા છે. કેટલાક લોકોનું માનવું છે કે નદીમાં પૈસા ફેંકવાથી ધનની દેવી લક્ષ્મીજી જીવનમાં પ્રવેશ કરશે. ઘણા લોકો આને અંધ વિશ્વાસ માને છે, પરંતુ આજે અમે તમને આ પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવશું, જેના કારણે આ પ્રથા શરુ થઇ.
આજકાલ આપણે સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના બનેલા સિક્કા જોઈએ છે, પરંતુ પ્રાચીન સિક્કા તાંબાના બનેલા હતા. કોપર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પ્રાચીન આયુર્વેદ ગ્રંથો દર્શાવે છે કે પાણીને તાંબાના વાસણમાં રાખી શુદ્ધ કરવામાં આવતું હતું. યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અનુસાર, પિત્તળ અને પથ્થરના વાસણોમાં પાણી રાખવાથી 99.9% જીવજંતુઓનો નાશ થાય છે.
તાંબાના આ ગુણને કારણે આપણા પૂર્વજો નદીઓમાં તાંબાના સિક્કા ફેંકતા હતા. આ રીતે પાણીને શુદ્ધ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આપણે આપણા પૂર્વજોની આ પરંપરાને અનુસરી રહ્યા છે. સમય જતાં તેનો વાસ્તવિક હેતુ ધીરે ધીરે ખોવાઈ ગયો અને નદીઓમાં સિક્કા ફેંકવાના કારણોને ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ આપી દીધું છે. હકીકત એ છે કે આપણે હવે તાંબાના સિક્કાનો ઉપયોગ કરતા નથી, તેથી જે વાસ્તવિક વૈજ્ઞાનિક હેતુથી સદીઓ પહેલા આ પ્રથા શરૂ કરવામાં આવી હતી તે હવે સંપૂર્ણપણે ખોવાઈ ગયો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH