મુંબઈ રેલવે સ્ટેશન પરના એસ્કેલેટર ટેકનિકલ ખરાબીના કારણે અથવા મસ્તીખોર પ્રવાસી આપત્કાલીન બટન દબાવતા બંધ પડે છે. એના લીધે બીજા પ્રવાસીઓની હેરાનગતિ થાય છે. એ દૂર કરવા મધ્ય રેલવેએ એપ-વેબ આધારિત યંત્રણા કાર્યાન્વિત કરી છે. એનાથી એસ્કેલેટર બંધ થાય તો તરત એની સૂચના મધ્ય રેલવેના નિયંત્રણ કક્ષને મળશે. મધ્ય રેલવે સ્ટેશનના 80 ટકા એસ્કેલેટર આપત્કાલીન બટન દબાવવાથી બંધ પડતા હોવાનું જણાયું છે. કેટલાક મસ્તીખોર પ્રવાસીઓ એસ્કેલેટરનું આપત્કાલીન બટન દબાવે છે. એસ્કેલેટર બંધ થાય તો એની માહિતી મળે, રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચે, એસ્કેલેટર ચાલુ કરે જેવી પ્રક્રિયા સમય માગી લે છે.

દરેક એસ્કેલેટર માટે સ્વતંત્ર વ્યક્તિની નિયુક્તી કરવી શક્ય ન હોવાથી મધ્ય રેલવેએ ટેકનિકલ પદ્ધતિથી આ સમસ્યા પર ઉપાય શોધ્યો છે. મુંબઈ વિભાગે એસ્કેલેટર માટે વેબ અને મોબાઈલ એપ પર આધારિત જીએસએમ સૂચના દેખરેખ વ્યવસ્થા (એલર્ટ મોનિટરિંગ સિસ્ટમ) શરૂ કરી છે. આ યંત્રણાની મદદથી તમામ એસ્કેલેટર પર મધ્યવર્તી નિયંત્રણ કક્ષના નિયંત્રકો તરફથી દેખરેખ રાખવામાં આવે છે. કોઈ પ્લેટફોર્મ પર એસ્કેલેટર બંધ થાય તો એની સૂચના યંત્રણાના માધ્યમથી કક્ષને મળે છે. મુંબઈ વિભાગમાં 118 યંત્રણા તમામ એસ્કેલેટરમાં શરૂ કરવામાં આવી છે. એસ્કેલેટરની સુનિયોજિત દેખભાળ અને રિપેરીંગ મોડી થાય તો એની માહિતી પણ યંત્રણા મારફત નિયંત્રણ કક્ષને મળશે.

બટનથી એસ્કેલેટર શરૂ થશે
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બંધ પડેલા એસ્કેલેટર મધ્યવર્તી નિયંત્રણ કક્ષ તરફથી કાર્યાન્વિત કરવા ટેકનોલોજી બજારમાં ઉપલબ્ધ છે. આ ટેકનોલોજીની મદદથી નિયંત્રણ કક્ષમાંથી બંધ પડેલું એસ્કેલેટર શરૂ કરવા માટે ટેસ્ટ ચાલુ છે. આ ટેસ્ટ સફળ થતા જ આ ટેકનોલોજી રેલવેના એસ્કેલેટરમાં ચાલુ કરવામાં આવશે. તેથી ભવિષ્યમાં નિયંત્રણ કક્ષમાંથી જ એસ્કેલેટર ચાલુ કરી શકાશે એમ રેલવે અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us