
મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના બાથરૂમમાં ગુરુવારે બપોરે થાણેની ગુજરાતી તરુણીએ હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તરુણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઇ તેની હાલત સ્થિર છે. તરુણી હતાશ રહેતી હતી અને તેને આત્મહત્યાના વિચાર આવતા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
સીએસએમટી રેલવે પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 12થી બે વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. થાણેમાં રહેતી તરુણીએ સીએસએમટીના બાથરૂમમાં જઇને પોતાના હાથની નસ કાપી હતી. બાથરૂમના ફ્લોર પર ‘આઇ એમ સોરી’ લખ્યા બાદ તે જમીન પર ફસડાઇ પડી હતી. દરમિયાન બનાવની જાણ થતાં જીઆરપીનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘાયલ તરુણીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું અધિકારીએ કહ્યું હતું.

શરૂઆતમાં યુવતીની ઓળખ થઇ નહોતી, પણ બાદમાં તપાસ દરમિયાન તેની ઓળખ થઇ હતી. તરુણીએ પોલીસને જણાવ્યું હતું કે તે થાણેમાં રહે છે અને બાંદ્રાની કોલેજમાં અભ્યાસ કરે છે. તે હતાશ રહેતી હતી અને તેને સતત આત્મહત્યાના વિચાર આવતા હતા. આથી ગુરુવારે બપોરે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, એવું તેણે પોલીસને જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
