મહાવિકાસ આઘાડીની બેઠક ફાળવણીનું કોકડું મંગળવારે ઉકેલાઈ ગયું. આઘાડીના સહયોગી પક્ષોના શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને નાના પટોલેની હાજરીમાં બેઠક ફાળવણીની ફોર્મ્યુલા જાહેરાત કરાઈ હતી. આ મુજબ ઉદ્ધવ ઠાકરેની શિવસેના 21 બેઠકો પર, કોન્ગ્રેસ 17 બેઠકો પર અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ 10 બેઠકો પર આગામી લોકસભાની ચૂંટણી લડશે. જોકે સાત બેઠકો પર કોન્ગ્રેસ અને અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ ઉમેદવારો હજુ નક્કી થયા નથી. આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની સેના 21 ઉમેદવારો સાથે સૌથી વધુ બેઠકો પરથી લડશે.

કોન્ગ્રેસ દ્વારા 13 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે શરદ પવારની પાર્ટીએ 7 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. શરદ પવાર જૂથ માઢા, રાવેર અને સાતારા આ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની ચકાસણી કરી રહ્યા છે, જેના માટે ઉમેદવારોનાં નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કોન્ગ્રેસ ધુળે, જાલના, ઉત્તર મુંબઈ, અને ઉત્તર મધ્ય મુંબઈની આ 4 બેઠકો માટે કોને ઉમેદવારી આપવી ત બાબતે મથામણ કરી રહી છે. ધુળે લોકસભા મતવિસ્તારમાં કોન્ગ્રેસના વિધાનસભ્ય કુણાલ પાટીલની પત્ની અશ્વિની પાટીલના નામની ચર્ચા હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દેતાં કોન્ગ્રેસમાં મૂંઝવણ પેદા થઈ છે. સામાજિક કાર્યકર્તા પ્રતિભા શિંદેનું નામ સામે આવ્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us