September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મોદી સરકારની મહિલા કર્મચારીઓને મોટી રાહત, પેન્શન સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર

હવે સરકારી મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકશે. આને મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે.

કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પછી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકશે. મહિલા કર્મચારીઓ માટે આને મોટી રાહત માનવામાં આવી રહી છે. આ સાથે હવે તેમના બાળકો માટે પેન્શન માટે નોમિની બનવું સરળ બનશે.

અગાઉ, વર્તમાન સરકારી કર્મચારી અથવા પેન્શનર સરકારી કર્મચારીના મૃત્યુ પર, તેના જીવનસાથીને પેન્શન આપવામાં આવે છે. પરિવારના અન્ય કોઈપણ સભ્ય (બાળકો સહિત) માત્ર ત્યારે જ પેન્શન માટે પાત્ર બની શકે છે જો સરકારી કર્મચારીના જીવનસાથીનું મૃત્યુ થાય અથવા કોઈપણ કારણોસર અયોગ્ય જાહેર કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ 2021 હેઠળ સરકારી કર્મચારી અથવા પેન્શનરનાં મૃત્યુ પછી આશ્રિતોને પેન્શન આપવાની જોગવાઈ છે.

DOPPW એટલે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કહ્યું કે નવો નિયમ મહિલા કર્મચારીઓને પેન્શન માટે પતિને બદલે બાળકોને નોમિની બનાવવાની મંજૂરી આપે છે. ડીઓપીપીડબલ્યુ સેક્રેટરી વી શ્રીનિવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સલાહ બાદ મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારો મહિલા કર્મચારીઓને સશક્ત બનાવશે.

DOPPWએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે મહિલા સરકારી કર્મચારીઓની છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે અથવા તેમના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અથવા દહેજનો કેસ દાખલ કર્યો છે, તો આવી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને તેમના પેન્શનમાં નોમિની બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે, નવા નિયમ હેઠળ સરકારી મહિલા કર્મચારીઓ તેમના એકથી વધુ બાળકોને પેન્શનમાં નોમિની બનાવી શકે છે. તેનાથી પારિવારિક વિવાદોમાં ફસાયેલી મહિલાઓને ઘણો ફાયદો થશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us