મરાઠા અનામતની માગને લઈને મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે. અનામતની માગ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે રાજ્યના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યો કે તેમને જાનથી મારી નાખવાનુ ષડયંત્ર ઘડાઈ રહ્યુ છે. તેઓ ઉપવાસ સ્થળેથી મુંબઈમાં ફડણવીસના ઘર તરફ રવાના થયા છે.

મરાઠાને અનામત આપવાની માગ પર ફરી મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે રાજ્યના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમને જાનથી મારી નાખવાનુ ષડયંત્ર રચાઈ રહ્યુ છે. તેઓ ધરણા સ્થળેથી મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા તરફ રવાના થયા છે. તેમણે ચેતવણી આપી છે કે તે ઉપમુખ્યમંત્રીના ઘરની સામે પ્રદર્શન કરશે.

જો કે છેલ્લા 15 -16 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. આથી તેમની તબિયત બગડેલી છે. જરાંગેએ ચેતવણી આપી કે તેઓ ઉપમુખ્યમંત્રીના ઘરની સામે પ્રદર્શન કરશે. જો કે તેઓ છેલ્લા 15-16 વર્ષથી ઉપવાસ કરી રહ્યા છે. આથી તેમની તબિયત બગડી છે. જરાંગેની ચેતવણી બાદ પ્રશાસનના અધિકારીઓ સક્રિય થયા છે. એસપી, આઈજી ADG સહિત તમામ આ મુદ્દે નજર રાખી રહ્યા છે. તેમનું કહેવુ છે કે તેમની દરેક ગતિવિધિ પર નજર રખાઈ રહી છે. કાલથી મહારાષ્ટ્રના વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યુ છે.

આ વચ્ચે જરાંગેની તબિયત બગડી રહી છે. કારણ કે તેમણે રાતથી પાણી વિનાના ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે. હવે મનોજ જરાંગેના અચાનક બદલાયેલા વલણથી એ જોવુ મહત્વનું રહેશે કે સરકાર શું પગલા લે છે.

મનોજ જરાંગે પાટિલે કહ્યુ કે દેવેન્દ્ર ફડણવીસના કહેવાથી કુનબી પ્રમાણપત્ર વેચી દેવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસનું ષડયંત્ર શરૂ થયુ છે. ફડણવીસના કારણે શિંદેએ જુદો નિર્ણય લીધો છે. બધુ ફડણવીસના ઈશારે થઈ રહ્યુ છે. ફડણવીસ રાજ્ય ચલાવી રહ્યા છે. ફડણવીસને મારો શું મારી બલી જોઈએ છે? સાગર બંગલે ચાલીને જઈશ, હિંમત હોય તો રોકીને બતાવે. તેમણે કહ્યુ કે ફડણવીસના કારણે અનેક ભાજપના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.

બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ સતારા જિલ્લાના દહિવાડી સ્થિત અંધલી બાંધમાં જણાવ્યુ કે મનોજ જરાંગેએ શું કહ્યુ એ મે સાંભળ્યુ નથી. તો મારે અનો શા માટે જવાબ આપવાનો ?

ફડણવીસ પર શું બોલ્યા મનોજ જરાંગે?

જરાંગેએ જણાવ્યુ કે હું શિવાજી મહારાજની સોગંધ ખાઈને કહુ છુ કે હું કોઈ પાર્ટી માટે કામ નથી કરી રહ્યો. હું ખેડૂતનો દીકરો છુ. ફડણવીસને ભારે પડી જશે. મરાઠા સમાજને ખતમ કરવાની કોશિષ થઈ રહી છે. શિંદે સમિતિએ કંઈ કામ કર્યુ નથી. મને ખતમ કરવા અને બદનામ કરવાનુ ષડયંત્ર ફડણવીસે કરી છે. મે ફડણવીસને ઉપવાસ સમાપ્ત કરાવવા આવવા માટે ન કહ્યુ તેનો તેને ગુસ્સો છે.

તેમણે કહ્યુ આ વખતે ફડણવીસના સૂપડા સાફ થશે. સગા સંબંધીઓનો મુદ્દો લાગુ કરાવીને જ રહીશ. તેમણે કહ્યુ મારી બલી લઈ લો પરંતુ મારા પર ખોટો આરોપ ન લગાવો.

મનોજ જરાંગેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. મને સલાઈન નાખીને ઝેર આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કારણે મેં સલાઈન લેવાનું બંધ કરી દીધું છે. હું ફડણવીસના સાગર બંગલે પગપાળા વિરોધ કરવા જઈ રહ્યો છું. જો મને કંઈ થઈ જાય તો મારા શબને ફડણવીસના બંગલે લઈ જજો. ફડણવીસના કારણે જ અત્યાર સુધી અનામતનો અમલ થઈ શક્યો નથી. મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે જો તેઓ કહેશે તો એક મિનિટમાં તેનો અમલ કરી દેવામાં આવશે.

ભાજપના ધારાસભ્યએ જરાંગે પર સાધ્યું નિશાન

બીજી તરફ ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે મનોજ જરાંગે પાટિલ પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે જરાંગેએ હવે તેનો બકવાસ બંધ કરવો જોઈએ. જરાંગે સમાજના નામે રાજકીય રીતે પોતાની છબી બનાવવામો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે જણાવવું જોઈએ કે તેમની પાછળ કોણ છે.

વિપક્ષી નેતાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વટ્ટીકરે કહ્યું કે રાજ્યમાં ત્રણ લોકો મળીને સરકાર ચલાવી રહ્યા છે. ત્રણમાંથી 2 લોકો અપ્રમાણિક છે. જરાંગે પાટિલ અને સરકાર વચ્ચે શું વાતચીત થઈ? અમને ખબર નથી. રાજ્યમાં ગુંડા શાસન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. ખેડૂત આત્મહત્યા એ ગંભીર બાબત છે. આવા ઘણા મુદ્દા છે જેના પર અમે સરકારને ઘેરીશું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us