July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

આ ચોમાસામાં થાણામાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે

આ મોન્સૂનમાં થાણે મહાપાલિકાની હદમાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે. પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં આ માહિતી સામે આવી હતી. શહેરમાં અંદાજે ૩૩ ઠેકાણે પાણી ભરાવાનું જોખમ છે અને એમાં સૌથી વધુ ફટકો દીવાવાસીઓને પડવાનો છે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. દરમિયાન ગયા વર્ષે મોન્સૂનમાં ૧૪ ઠેકાણે પાણી ભરાયાં હતાં, જે આ વર્ષે વધીને બમણાં કરતાં પણ વધુ હોવાનું જાણવા મળે છે.

દર વર્ષે મોન્સૂનમાં થાણે પાલિકા ક્ષેત્રમાં વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં હોય છે. આને કારણે નાગરિકોને નાહકનો ત્રાસ વેઠવો પડતો હોય છે. ગયા વર્ષે મોન્સૂનમાં ૧૪ જગ્યાએ પાણી ભરાયાં હતાં, જે આ વર્ષે વધીને ૩૩ જગ્યાએ ભરાશે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું. આ તમામ વિસ્તાર નીચાણવાળા હોવાને કારણે અહીં પાણી ભરાતાં હોવાનો દાવો પાલિકાએ કર્યો હતો. સ્માર્ટ થાણે આ મોન્સૂનમાં ડૂબવાનું હોવાનું પાલિકાએ કરેલા સર્વેક્ષણ પરથી જાણવા મળી રહ્યું છે.

કયા ઠેકાણે પાણી ભરાઈ શકે છે

શહેરમાં જે વિસ્તારમાં મોન્સૂન દરમિયાન પાણી ભરાવાની શક્યતા રહેલી છે એમાં રામ મારુતિ રોડ, ગોખલે રોડ, ગડકરી રંગાયતન, સેટિસ પુલ, માસુંદા તળાવ, વંદના ટોકીઝ, ગાયમુખ હાઈવે, વિટાવા રેલવે પુલની નીચે, શિવાજી નગર, બાબનાની પાર્ક, મારુતિ રોડ, સાબે ગાંવ, ડાયઘર, કાશીનાથ ચોક, ચવ્હાણ ચાલ અને વૃંદાવન-શ્રીરંગ સોસાયટીનો સમાવેશ થાય છે.

પાણી ભરાતાં હોવાનાં આ છે કારણો

જોકે સ્માર્ટ સિટી થાણેમાં પાણી ભરાવાનાં અનેક કારણો સામે આવ્યાં છે. શહેરમાં ગેરકાયદે બાંધકામ વધી ગયું હોવાને કારણે જમીનનું સપાટીકરણ થતું હોવાનું દેખાતું નથી. આને કારણે પાણી ભરાઈ જતાં હોય છે. શહેરમાં અમુક ઠેકાણે મોટા પ્રમાણે નીચાણવાળા વિસ્તાર વધી ગયા છે. કુદરતી નાળાં ગેરકાયદે પદ્ધતિથી પૂરી દેવામાં આવ્યાં છે. દીવામાં ચાલી ઊભી કરવામાં આવી હોઇ ગંદું પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી નથી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us