July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ

આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.

દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. તેથી જ તેમને કષ્ટભંજન અને સંકટમોચન પણ કહેવાય છે. 

હનુમાન જયંતિના દિવસે જે પણ વ્યક્તિ વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારે છે જે તેને વિશેષ બનાવે છે. આ દિવસે તમે પણ જો ઘરે હનુમાનજીની પૂજા કરવા માંગો છો તો તમને આજે આ પૂજા કરવાની સરળ રીત જણાવીએ. ઘરે કેટલાક નિયમોનું પાલન કરી તમે હનુમાનજીની પૂજા કરી શકો છો. 

ઘરે આ રીતે કરો હનુમાનજીની પૂજા

હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.

– સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહુર્તમાં જાગી જવું.
– સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને સૂર્યદેવને જળ અર્પણ કરવું.
– ત્યારપછી એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી.
– હનુમાનજીને સિંદૂર, ચોખા અને લાલ ફૂલ અર્પણ કરો. 
– હનુમાનજીને ભોગમાં લાડુ ધરાવો.
– ત્યારબાદ તેમની સામે બેસી 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો.
– હનુમાન ચાલીસા કર્યા પછી આરતી કરો. 

હનુમાન જયંતિ પર ન કરો આ કામ 

હનુમાન જયંતિના દિવસે માંસ-મદિરાનું સેવન ન કરો. આ દિવસે ક્રોધ કરવાથી બચો. હનુમાન જયંતિ પર વાળ કપાવવા નહીં અને કોઈનું અપમાન પણ કરવું નહીં. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us