September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

ગડકરીની હત્યાની ધમકી આપનારાની દાઉદ ગેંગ, એલઈઈટી, પીએફઆઈ સાથે સાંઠગાંઠ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં કથિત રીતે ધમકીભર્યા કોલ કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીના દાઉદ ઈબ્રાહિમ ગેંગ અને પ્રતિબંધિત સંગઠનો લશ્કર-એ-તૈયબા  ,પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા  સાથે સંબંધ હોવાનું  ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  

     હત્યાના ગુનેગાર જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંથા ઉર્ફે સલીમ શાહીર કાંથા પર જાન્યુઆરી અને પછી માર્ચમાં નાગપુરમાં ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં ધમકીભર્યા કોલ કરવાનો આરોપ છે.શહેરની ધંતોલી પોલીસે તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

      નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તેના દાઉદ ગેંગ, પીએફઆઈ અને એલઈટી સાથે કનેક્શન છે.તેને કટ્ટરપંથી બનાવવામાં આવ્યો છે. તેણે ડી-ગેંગ (દાઉદ ગેંગ)ના અન્ય ગુંડા સાથે જેલમાં કાવતરું ઘડયું હતું.

        ૧૪ જાન્યુઆરીના જયેશ પૂજારીએ નાગપુરમાં ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં ધમકીભર્યા ફોન કરી રૃ.૧૦૦ કરોડની માંગણી કરી હતી. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે દાઉદ ઈબ્રાહિમ ગેંગનો મેમ્બર છે.

      પોલીસે જણાવ્યું હતું કે, ૨૧ માર્ચે સવારે નાગપુરમાં ૧૦-૪૫ વાગ્યાની આસપાસ ઓફિસ સ્ટાફ રાબેતા મુજબ કામ કરી રહ્યો હતો. તે સમયે ફોન આવ્યો હતો કે હું જયેશ છું, ‘ડી’ (દાઉદ) ગેંગનો ગુંડો. જો મને રૃ.૧૦ કરોડ આપવામાં નહીં આવે તો ગડકરીની હત્યા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવી હતી.બાદમાં સવારે ૧૧-૧૫ વાગ્યા સુધી જયેશે  વધુ બે વખત ઓફિસમાં ફોન કર્યા હતા.અડધા કલાકમાં ત્રણ કોલ આવતા ઓફિસ સ્ટાફે ધંતોલી પોલીસને જાણ કરી હતી.

     કોલના પગલે નાગપુરમાં ગડકરીના ઘર અને ઓફિસમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.પૂજારીને હત્યાના કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. નાગપુર પોલીસે તેની બેલાગાવની જેલમાંથી કસ્ટડી લીધી હતી.ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ પણ તેની પૂછપરછ કરી હતી.  

     આરોપી જયેશ સામે એક ડઝનથી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે.ઓગસ્ટ, ૨૦૦૮માં કર્ણાટકના પુત્તુરમાં જયેશ તેની ભાભી સૌમ્યા અને તેના સગીર ભત્રીજીની નિર્દયતાથી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.  તે લગભગ ચાર વર્ષ સુધી કેરળમાં રહ્યો હતો.૨૦૧૨માં જયેશની કર્ણાટક પોલીસે ડબલ મર્ડર કેસમાં કેરળથી ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે તેને ૨૦૧૬માં સજા આપી હતી.ત્યારથી તે બેલગાવની જેલમાં સજા કાપી રહ્યો છે. આરોપી જયેશ ૨૦૧૮થી ૨૦૨૦ વચ્ચે ત્રણ વખત જેલમાંથી નાસી ગયો હોવાનું કહેવાય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us