યવતમાળ પોલીસે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ પક્ષના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત વાંધાજનક લેખ લખવા બદલ રાજદ્રોહ અને અન્ય ગુનાના આરોપસર એફઆઇઆર નોંધી છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ ગઈ કાલે મંગળવારે જણાવ્યું હતું. આ કેસ ભાજપના યવતમાળ જિલ્લા સંયોજક નીતિન ભુતડા દ્વારા રાજ્યસભાના સભ્ય રાઉત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે.

રાઉત સામનાના એક્ઝિક્યુટિવ એડિટર છે. ફરિયાદમાં ભુતડાએ દાવો કર્યો છે કે રાઉતે 10 ડિસેમ્બરે મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખ્યો હતો. સોમવારે અહીં ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં રાઉત વિરુદ્ધ આઇપીસીની કલમ 124 (એ) (રાજદ્રોહ), 153 (એ) (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેનાં આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવો) અને 505 (2) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા અનિચ્છા પેદા કરવા અથવા તેને પ્રોત્સાહન આપતાં નિવેદનો), હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ફરિયાદ મુજબ કેસ નોંધ્યો છે, અને તેની તપાસ કરીશું.રાઉતે કહ્યું કે, બે દિવસ પહેલાં પંડિત નેહરુની ટીકા થઈ હતી. આ દેશમાં કોઈ ઈમરજન્સી નથી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us