July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ટૂંક સમયમાં એપીએમસીની ઉપયોગિતા પૂરી થવાની શક્યતા

જેએનપીટી નજીક આંતરરાષ્ટ્રીય દરજ્જાની માર્કેટ બનાવવાની સમિતિની ભલામણ

એપીએમસીની ઉપયોગિતા નજીકના સમયમાં જ પૂરી થવાની શક્યતા છે. શહેરના ભૌગોલિક સ્થાન અને વેપારી મહત્ત્વને ધ્યાનમાં લઇને જવાહરલાલ નેહરુ પોર્ટ વિસ્તાર (જેએનપીટી)માં આંતરરાષ્ટ્રીય દરજ્જાની પાયાભૂત સુવિધા ધરાવતી એપીએમસી વિકસિત કરવાની ભલામણ રાજ્ય સરકારને સ્થાપવામાં આવેલા અભ્યાસુ જૂથે કરી છે.

બજાર સમિતિની પરિસ્થિતિ અને તેનો ખેડૂતોને કેટલો લાભ થાય છે એ અંગે અભ્યાસ કરીને ઉપાયયોજના સૂચવવા માટે સરકારે ભૂતપૂર્વ કૃષિ કમિશનર ઉમાકાંત દાંગટની અધ્યક્ષતા હેઠળ અભ્યાસુ જૂથની સ્થાપના કરી હતી. માર્કેટિંગ ડિરેક્ટર કેદારી જાધવ, જોઈન્ટ સેક્રેટરી સુગ્રીવ ધપાટે સહિતના અનેક લોકો સમિતિમાં સભ્ય હતા. સમિતિએ હાલમાં જ પોતાનો અહેવાલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને રજૂ કર્યો હોઇ એમાં વૈશ્વિક દરજ્જાની એપીએમસી જેએનપીટી નજીક વિકસિત કરવાની ભલામણ કરી છે.

મુંબઈ એપીએમસીનું કામકાજ 1990-91 સુધી ભાયખલા, દાણાબંદર, રે રોડ વગેરે ઠેકાણે ચાલતું હતું. જગ્યાની ઊણપ અને ટ્રાફિકમાં થતી મુશ્કેલીનો વિચાર કરીને તમામ માર્કેટને વાશી ખાતે સિડકોની જગ્યામાં સ્થળાંતર કરવામાં આવી હતી. આ માર્કેટમાં રાજ્ય તેમ જ અન્ય રાજ્ય અને વિદેશના માલની આવક થાય છે. ખાસ વાત તો એ છે કે સમિતિનું કાર્યક્ષેત્ર મુંબઈ, નવી મુંબઈ અને ઉરણ તાલુકાનાં અમુક ગામોમાં વસતિ વધવાને કારણે અહીં કોઇ પણ ખેતીનો માલ આવતો નથી. અમુક પ્રમાણમાં ફળો, શાકભાજી અને કાંદાની આવક ખેડૂતો દ્વારા થતી હોઇ બાકીનો 70થી 75 ટકા માલ વેપારી વર્ગ પાસેથી મોકલવામાં આવતો હોય છે. બજાર સમિતિમાં આ તમામ પ્રકારની ખેતીપેદાશ માર્કેટિંગ થયા બાદ એ માલ મુંબઈ અને અન્ય ઠેકાણે વેચવા માટે જતો હોય છે. મુંબઈ બજાર સમિતિનું કામકાજ અન્ય બજાર સમિતિ કરતાં જુદું, વેપારીથી વેપારી એવું છે. આને કારણે આ બજાર સમિતિની ઉપયોગિતા હવે પૂરી થઇ ગઇ હોઇ વાશી ખાતેની જગ્યા અપૂરતી થવા લાગી છે.

દરમિયાન વાશીમાં બજાર સમિતિ વિસ્તારમાં વસતિ વધી ગઇ હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઇ છે. આનાથી ઊલટું જેએનપીટી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાની માર્કેટ વિકસાવવામાં આવે તો અટલ સેતુ પરથી મુંબઈમાં ગણતરીના કલાકોમાં ખેતીપેદાશ પહોંચાડી શકાશે. આ ઉપરાંત ખેતપેદાશની નિકાસને પણ ફાયદો થશે, એવું અભ્યાસ જૂથના અધ્યક્ષ ઉમાકાંત દાંગટે સરકારને જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us