September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

10મી એપ્રિલ પછી મુંબઈગરાને હીટવેવનો સામનો કરવો પડશે

મુંબઈમાં છેલ્લા થોડા સમયથી દિવસમાં ગરમી અને રાત્રે ઠંડક એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે એપ્રિલ બેસી જતાં ગરમીમાં ઓર વધારો થયો છે. હવે ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. છેલ્લા થોડા સપ્તાહમાં મુંબઈમાં તાપમાનમાં સતત ચઢઊતર થઈ રહી છે. જોકે હવે એપ્રિલના આરંભથી જ ગરમી વધી છે. 10 એપ્રિલ પછી હીટવેવની સંભાવના છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ગયા અઠવાડિયે થયેલા વરસાદનો ફટકો મુંબઈના હવામાન પર પડ્યો હતો. ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા ઠંડા પવનને લીધે મુંબઈના વાતાવરણમાં ક્યારેક ઠંડક તો ક્યારેક ઉકળાટ અનુભવવા મળતો હતો. દેશના પશ્ચિમી ભાગમાં વરસાદની તીવ્રતા પણ ઓછી થઈ છે અને તાપમાનમાં વધારો થવાને લીધે મુંબઈગરાને હીટવેવનો સામનો કરવો પડી શકે છે.

પશ્ચિમ ભાગમાં ચક્રીવાદળ જેવું ક્ષેત્ર નિર્માણ થવાથી ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. ચક્રીવાદળનો પ્રભાવ ઓછો થવાથી પશ્ચિમી ભાગમાં ગરમ પવન ફૂંકાવાલાગ્યો છે. આને કારણે મુંબઈમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. 2-3 એપ્રિલના રોજ મુંબઈમાં તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

વિદર્ભમાં ચક્રીવાદળ : વિદર્ભ અને તેલંગણામાં 6થી 7 એપ્રિલે ચક્રીવાદળ જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. તેની અસર મુંબઈ પર પણ થઈ શકે છે. આથી આ સપ્તાહમાં મુંબઈના તાપમાનમાં વધારો થવાની શક્યતા ઓછી છે. જોકે એપ્રિલના બીજા અઠવાડિયામાં ઉકળાટ પ્રચંડ વધી શકે છે. આ વખતે માર્ચમાં જ મહારાષ્ટ્રના અમુક ભાગોમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વાતાવરણમાં સતત થતા બદલાવને લીધે આ વર્ષે તાપમાનમાં વધારી થઈ શકે છે.

મોસમી બીમારીઓ પણ વધી
હવામાનમાં સતત થતા બદલાવને લીધે મોસમી બીમારીઓ પણ વધી છે. આ સમયગાળામાં વાઈરસનો ફેલાવો વધુ વધે છે. આવા સંજોગોમાં શરદી, ખાંસી, તાપ જેવા દર્દીઓની સંખ્યા વધે છે. મુંબઈમાં શરદી, ખાંસી અને તાપ જેવી બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી છે. દર્દીઓની સંખ્યામાં હજુ વધારો થવાનો ડર છે. હવામાન સ્થિત થયા પછી જ આ સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us