મુંબઈ એરપોર્ટ પર એક 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર નહીં મળતાં પગપાળા ચાલીને ગયા પછી તબિયત બગડીને મોત થયું તે પ્રકરણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) ગુરુવારે એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લાદ્યો હતો.
આ ઘટના 12 ફેબ્રુઆરીએ બની હતી, ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, કારણ કે, તે વૃદ્ધ પ્રવાસીને વ્હીલચેર પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. નોંધનીય છે કે વૃદ્ધ પ્રવાસીએ વ્હીલચેર માટે વિનંતી કરી હતી. જોકે તે દિવસે વ્હીલચેરની ભારે માગણી હોવાથી અને જલદી ઉપલબ્ધ નહીં થતાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH