September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

કચરામાંથી બાયોગેસ તૈયાર કરીને મુંબઈ શહેરને પ્રદૂષણથી મુક્ત કરવાની પહેલ

મુંબઈમાં કચરાની સમસ્યાનો ઉકેલ આવે, મહાનગરનું પ્રદૂષણ ઓછું થાય એ માટે મુંબઈ મહાપાલિકા અને મહાનગર ગેસ લિમિટેડ વચ્ચે કોમ્પ્રેસ્ડ બાયોગેસ સંયત્ર સ્થાપવા માટે એમઓયુ થયો છે. કચરામાંથી તૈયાર થનારો આ બાયોગેસ મુંબઈને પ્રદૂષણમુક્ત રાખશે એવો વિશ્વાસ રાજ્યના સ્કૂલ શિક્ષણ મંત્રી અને મુંબઈ જિલ્લા પાલકમંત્રી દીપક કેસરકરે વ્યક્ત કર્યો હતો. પર્યાવરણનું સંતુલન જાળવવા બાયોગેસ યોગ્ય વિકલ્પ છે. સ્વચ્છ અને સુંદર મુંબઈનું સ્વપ્ન પૂરું કરવા મુંબઈ મહાપાલિકા પ્રયત્ન કરે છે. એને મુંબઈગરાઓએ સહકાર્ય કરવું. એના માટે દરેકે ભીનો અને સૂકો કચરો જુદો કરવો. હાઉસિંગ સોસાયટીઓએ આગળ આવવું. તેમ જ આ ઝુંબેશમાં સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો જેથી સ્કૂલમાં જ બાળકોમાં જનજાગૃતિ કરશું તો આ મુદ્દો ઘેરઘેર પહોંચશે એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈ મહાપાલિકા અને મહાનગર ગેસ તરફથી લીધેલા આ પ્રકલ્પના લીધે ટૂંક સમયમાં મુંબઈમાં હજારો ટન કચરાની સમસ્યાનો ઉકેલ આવશે. એ સાથે જ મુંબઈગરાઓ માટે પર્યાવરણપૂરક બાયોગેસ વપરાશ માટે ઉપલબ્ધ થશે એમ મહિલા અને બાલકલ્યાણ મંત્રી તથા મુંબઈ ઉપનગર જિલ્લા પાલકમંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.

મુંબઈ મહાપાલિકા અને મહાનગર ગેસ કંપની વચ્ચે બાયોગેસ સંયત્ર પ્રકલ્પ સ્થાપવા માટે ઓમઓયુ કરવામાં આવ્યો હતો. મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના માધ્યમથી કચરાનું વર્ગીકરણ અને પુનર્વપરાશની પ્રક્રિયા નિયમિત કરવામાં આવે છે. મુંબઈમાં 2050 સુધી કાર્બન ન્યૂટ્રલનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આ ઉદ્દેશ બીજા શહેરોની સરખામણીએ વીસ વર્ષ પહેલાં જ રાખવામાં આવ્યો છે. મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં નાગરિકોનો સહભાગ વધે એ માટે કચરાનું વ્યવસ્થાપન કરતી હાઉસિંગ સોસાયટીઓને પ્રોપર્ટી ટેક્સમાં 5 થી 10 ટકા સવલત આપવામાં આવશે.

આવો છે પ્રકલ્પ
મુંબઈ મહાનગરની હોટેલ્સ, રેસ્ટોરંટ્સ, બેન્કવેટ હોલ ખાતે ફોગટ ગયેલું ભોજન અને મોટી શાકભાજી માર્કેટમાં ફોગટ ગયેલ શાકભાજી ભેગી કરવામાં આવશે. એ પછી આ જૈવિક કચરા પર પ્રક્રિયા કરીને બાયોગેસ નિર્મિતી કરવામાં આવશે. આ પ્રકલ્પ માટે દરરોજ લાગનારો જૈવિક કચરો મુંબઈ મહાપાલિકા દ્વારા ખાસ વાહન થકી પૂરો પાડવામાં આવશે. કચરો ભેગો કરવો, પૃથક્કરણ અને વિતરણ એવી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.

ત્રણ તબક્કામાં પ્રકલ્પનું કામ
બાયોગેસ પ્રકલ્પ પૂરો થયા બાદ ત્રણ તબક્કામાં એનું કામ શરૂ કરવામાં આવશે. એમાં જૈવિક કચરો પ્રક્રિયા પ્રકલ્પ, સેન્દ્રિય ખાતર ઉત્પાદન સંયંત્ર અને હરિત ઈંધણ ઉત્પાદન સંયંત્રના તબક્કાનો સમાવેશ હશે. આ પ્રકલ્પ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલો જૈવિક ગેસ મુંબઈની હદમાં વાપરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us