રામાયણમાં, તમે રાજા દશરથની ત્રણ રાણીઓ, ભગવાન રામ, લક્ષ્મણ, ભરત શત્રુઘ્ન સહિત લગભગ દરેક પાત્રથી વાકેફ હશો. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામની એક મોટી બહેન પણ હતી. જેનું નામ શાંતા હતું.. નહિ, તો ચાલો જાણીએ…

હિન્દુ ધર્મમાં વેદ, પૂરાં, ગ્રંથ અને અન્ય ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને વિરાસતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વેદ પુરાણોમાં જીવન જીવવાની પદ્ધતિ સહિત ધર્મ-અધર્મને લઇ ઉપદેશ આપવામાં આવ્યા છે. ચારો વેદો સહિત રામાયણ, મહાભારત જેવા ધર્મ ગ્રંથોમાં ઘણી પૌરાણિક કહાનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રામાયણમાં વર્ણિત શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજી સહિત તમામ પાત્રોથી તો બધા પરિચિત છે. પરંતુ શું તમે જાણો છો ભગવાન રામના બહેન પણ હતા. ઘણા ઓછા લોકોને આ વાત અંગે જાણ હશે. તો ચાલો જાણીએ પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ પાસે કે ભગવાન રામની બહેન કોણ હતી.

શાંતા છે રામની બહેનનું નામ

રાજા દશરથ અને રાણી કૌશલ્યાનું પ્રથમ સંતાન એક પુત્રી હતી. જેનું નામ શાંતા હતું. શાંતા ભગવાન શ્રીરામની મોટી બહેન હતી. પુરાણો અનુસાર શાંતા દરેક કામમાં દક્ષ હતી અને બુદ્ધિશાળી તેમજ અનેક રીતે નિપુણ હતી.

પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર રાણી કૌશલ્યાની બહેન વર્ષિણી તેના પતિ રોમપદ સાથે અયોધ્યા આવી હતી. તે સમયે રાણી કૌશલ્યાની બહેન નિઃસંતાન હતી. બાળકોના સુખથી વંચિત રહેવાથી રાજા રોમપદ અને વર્શિણી ખૂબ જ દુઃખી હતા. ત્યારે રાજા દશરથે તેમને દુઃખી અને ઉદાસ જોઈને તેમની પુત્રી શાંતાને દત્તક આપી દીધી.

શ્રૃંગી ઋષિ સાથે થયા લગ્ન

ભગવાન શ્રીરામની મોટી બહેન શાંતાના લગ્ન ઋષિ શ્રૃંગા સાથે થયા હતા. ઋષિ શ્રૃંગી અને શાંતાના લગ્ન વિશે ઘણી વાર્તાઓ છે. શાંતાના પતિ ઋષિ શ્રૃંગીએ રાજા દશરથના સ્થાને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. યજ્ઞના પરિણામે રાજા દશરથના ચાર પુત્રોનો જન્મ થયો. એવું માનવામાં આવે છે કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ઋષિ શ્રૃંગીનું મંદિર છે, જ્યાં ઋષિ શ્રૃંગી અને રામની બહેન શાંતાની પૂજા કરવામાં આવે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us