મુંબઇ-ગોવા હાઇવે ઉપર કર્નાળા ઘાટમાં ગઇકાલે બસને નડેલા વધુ એક અકસ્માતમાં એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું અને ૨૨ જખમી થયા હતા. પનવેલ નજીકના કર્નાળા ઘાટમાં છેલ્લાં બે મહિનામાં દસ અકસ્માત થયા છે.
કર્નાળા ઘાટના રસ્તે ત્રણ બ્લેક-સ્પોટની નોંધ થઇ છે જ્યાં વધુ અકસ્માત થાય છે. કર્નાળા ઘાટ ઉતરતી વખતે કસરતળે વિસ્તારમાં ડ્રાઇવર વાહન ઉપરનો કન્ટ્રોલ ગુમાવે ત્યારે અકસ્માત થાય છે. ઘાટમાં કેટલાંય જોખમી વળાંકો છે જે અકસ્માત માટે કારણભૂત બને છે. અત્યારે મુંબઇ-ગોવા હાઇવે પહોળો બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જોખમી વળાંકો દૂર કરવાની, સ્પીડ બ્રેકર્સ અને રમ્બલર લગાડવાની અને ઘાટના રસ્તે અકસ્માત નિવારવા સુરક્ષાના પગલાં લેવાની સ્થાનિક કાર્યકર સંતોષ ઠાકુર નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર અપીલ કરી છે.
કર્નાળાના ઘાટમાં રસ્તા વચ્ચે વાહનો ઉભા રાખીને વાંદરાને ઘણા લોકો ખવડાવતા હોય છે. ઉભેલા વાહન સાથે પાછળથી આવતા વાહનોની ટક્કરના બનાવ વારંવાર બને છે. વાંદરાને ખવડાવવા માટે વાહન ઉભા ન રાખવાની સૂચનાના ફલક લગાડવામાં આવ્યાં છતાં વાહનો થોભાવવામાં આવે છે. ગયા વર્ષે એક કારચાલકે વાંદરાને ખાવાનું આપવા કાર ઉભી રાખી એ જ વખતે પાછળથી આવતી ટ્રક ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાટના વિશ્રાંતી કોર્નર, કસર તળાવ, અને ઘાટના વળાંક અકસ્માત માટે બ્લેક-સ્પોટ સાબીત થયા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w