September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

ઘર અપાવવાના બહાને મુલુંડના રહેવાસી સાથે ૬૭ લાખની છેતરપિંડી

મુલુંડમાં ઘર અપાવવાના બહાને ૬૭ લાખ ૫૦ હજારની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભે નવઘર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવઘર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ૫૧ વર્ષીય હર્ષદા રાજેન્દ્ર રહાટે મુલુંડના રહેવાસી છે. થોડા વર્ષો પહેલા હર્ષદાની ઓળખ જ્યોતિ ખામકર સાથે થઈ હતી. હર્ષદાએ જ્યોતિને કહ્યું કે તે મુલુંડ પૂર્વમાં જ એક ઘર ખરીદવાનું વિચારી રહી છે. ત્યારબાદ જ્યોતિએ આરોપી પરશુરામ રામાશ્રય સિંહ અને વિજય નામના વ્યક્તિ સાથે હર્ષદા અને તેના પતિ રાજેન્દ્રની ઓળખાણ કરાવી હતી. વિજયે હર્ષદાને કહ્યું કે તેને તેનું ઘર વેચવું છે. જેને તે ૬૭ લાખ ૫૦ હજાર રૂપિયામાં વેચશે. હર્ષદા અને તેના પતિ આ ઘર લેવા સંમત થયા અને વિજયે પરશુરામને એડવાન્સ તરીકે ૧૫ લાખ રૂપિયા આપવાનું કહેલ. હર્ષદાએ વિજયને કહ્યું કે તે એમઓયુ વિના પૈસા ટ્રાન્સફર કરશે નહીં, જો કે, પાછળથી વિજયની વાતોમાં ભોળવાઇને હર્ષદાએ પરશુરામને ૧૫ લાખ રૂપિયા આપી દીધા હતાં.

થોડા મહિના પછી વિજયે ફરી હર્ષદાને કહ્યું કે પરશુરામને ૩ લાખ રૂપિયાની જરૂર છે. જે તે ઘરની રકમમાંથી બાદ કરી આપશે. દરેક વખતે વિજય અને પરશુરામ અલગ-અલગ બહાના કરીને હર્ષદા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યાં હતાં. થોડા મહિના પછી જ્યારે હર્ષદા પરશુરામના ઘરે પહોંચી ત્યારે હર્ષદાએ જોયું કે તેના ઘરે તાળું હતું અને પડોશીઓ સાથે વાત કર્યા પછી ખબર પડી કે પરશુરામે અન્ય નાગરિકો સાથે પણ આ જ રીતે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. જેના બાદ હર્ષદાએ નવઘર પોલીસ સ્ટેશન જઈને ઘટનાની જાણ કરી અને કેસ નોંધાવ્યો હતો. હાલમાં નવઘર પોલીસ વિજયની વધુ પૂછપરછ કરી રહી છે, જ્યારે પરશુરામની શોધ ચાલી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us