બીએમસી ટૂંક સમયમાં મુલુંડ-થાણે વચ્ચે વોટર ટનલ બાંધવા માટેના ટેન્ડર બહાર પાડશે. મુંબઈના વિવિધ ભાગોમાં વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી પાણીની પાઈપલાઈન વારંવાર તૂટતા લાખો લીટર પાણી વેડફાઈ જતું હોવાની અનેક ઘટનાઓ બનતા મનપાએ હવે જૂની પાણીની પાઈપલાઈનને બદલે પૂર્વીય ઉપનગરમાં થાણેના યેઉર, કશેલી અને મુલુંડ વચ્ચે વોટર ટનલ બાંધવાનો નિર્ણય લીધો છે.
વોટર ટનલ ચાલુ કર્યા બાદ પણ જૂની પાઈપલાઈનને બેકઅપ નેટવર્ક તરીકે ચાલુ રાખવામાં આવશે. થાણે અને નાસિક જિલ્લામાં આવેલા જળાશયોમાંથી પાઈપલાઈનના માધ્યમથી પૂરા મુંબઈને પાણી પૂરું પાડવામાં આવે છે. પાઈપલાઈન જમીનની નીચે નાખવામાં આવેલી છે અને હાલમાં મુંબઈ અને થાણેમાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલી રહ્યા હોવાથી તેના માટેના ખોદકામ દરમિયાન પાઈપલાઈનમાં ભંગાણ પડવાની ઘટનાઓ બનતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH