July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ઘાટકોપરના પતિ-પત્નીના મોતનું રહસ્ય એક વર્ષ પછી પણ નથી ઉકેલાયું

 ઘાટકોપરમાં ગત વર્ષે ૮ માર્ચના હોળી  સેલિબ્રેશન કર્યા બાદ ફલેટના બાથરૂમમાં દંપતીના મૃતદેહ મળી આવવાનો  કેસ પોલીસ હજી ઉકેલી શકી નથી. આ પતિ, પત્નીનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયુ  નથી.

ઘાટકોપર (પૂર્વ)માં વલ્લભબાગ લેન ખાતે ક્રુકરેજા પેલેસમાં રહેતા દીપક શાહ (ઉ.વ.૪૪) અને તેમની પત્ની ટીના (ઉ.વ.૩૯) ઘરે આવ્યા હતા. થોડા કલાકો  પછી નોકરાણી ઘરકામ કરવા આવી હતી તેણે ડોરબેલ વગાડી પણ કોઇએ જવાબ આપ્યો નહોતો. આથી દીપકના એક સંબંધીને ફોન કર્યો હતો. તેની પાસે ફલેટની ડુપ્લીકેટ ચાવી હતી.

ફલેટનો દરવાજો ખોલીને તપાસ કરતા બાથરૂમનો દરવાજો બંધ હતો. તેણે તોડીને અંદર જોતા દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા બાથરૂમમાં ઉલટી પણ કરવામાં આવી હતી. આ બનાવની પંતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. મૃતકના શરીર પર ઇજાના નિશાન  નહોતા.

કુકરેજા પેલેસના હેવાસીઓએ જણાવ્યું હતું કે શાહ ગારમેન્ટનો  વ્યવસાય કરતા હતા આ બનાવના એક દિવસ પહેલા (૭ માર્ચ, ૨૦૨૩)ના દંપતીને જુહૂમાં હોળીની પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.  તેઓ  આઠમી માર્ચે સવારે કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે તેઓ ખુશ હતા એમ પ્રત્યકાદર્શીઓએ પોલીસને જાણ કરી હતી.

આ દંપતી પાર્ટી છોડીને બપોર બાદ ઘરે આવી ગયું હતું બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તેમને જોયા હતા. સીસીટીવી કેમેરામાં પણ તેઓ કેદ થઇ ગયા હતા. પોલીસ પ્રાથમિક તપાસમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકી નહોતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી શ્વાસરૂધાવાને કારણે તેમનું મૃત્યુ ન થયું હોવાનું માલૂમ પડયું હતું.  તે પછી દંપતીના શરીરમાં કોઈ ઝેર ગયું હતું કે કેમ તેની તપાસ કરવાામાં આવી હતી. 

દંપતીના ઉલટી અને અન્ય નમૂના કાલીનાની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા એના રિપોર્ટથી બંનેના મૃત્યુ ઝેરથી થયા ન હોવાની ખબર પડી હતી આથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી.બીજી તરફ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ ફરી એખવાર  નવેમ્બર, ૨૦૨૩માં રાજાવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે હજી સુધી હોસ્પિટલમાંથી રિપોર્ટ મળ્યો નથી.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ૮ માર્ચ, ૨૦૨૩ના ગાઝિયાબાદમાં એક દંપનીનું બાથરૂમમાં ગીઝરમાંથી ગેસ લીકેજને કારણે ગુંગળામણથી મૃત્યુ થયું હતું. આ દંપની પણ ઘાટકોપરના પતિ, પત્નીના જેમ હોળીની ઉજવણી પછી ઘરે પરત ફર્યું હતું અને સાથે સ્નાન કરવા ગયું હતું. 

ગાઝિયાબાદના કિસ્સામાં ગીઝર લાંબા સમય સુધી ચાલું હતું. જેના લીધે કાર્બન મોનોકસાઇડ બહાર આવ્યો હતો તે ગંધહીન અને રંગહીન હોવાથી જીવલેણ બની શકે એની ખબર પડતી નથી. એની વ્યક્તિના શરીરમાં અસર થાય છે. ઘાટકોપરમાં બાથરૂમની બારી બંધ હતી ત્યાં વેન્ટિલેટર પણ નહોતું આમ કદાચ દંપતીને  કાર્બન મોનોકસાઇડથી ગુગળામણ થઇ હોવાથી શંક્યતા છે. પરંતુ મેડિકલ રિપોર્ટ વિના આ બાબતે વધુ કઇ કહી શકાય નહીં તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us