સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં કુલ 20 નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટના મહત્ત્વના નિર્ણયો:
– મુંબઈવાસીઓ માટે આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં (શહેરી વિકાસ વિભાગ)
– રાજ્યમાં નમો મહારોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવશે. બે લાખ નોકરીઓ, સ્વરોજગાર સર્જાશે. (કૌશલ્ય વિકાસ વિભાગ)
– વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સંવેદનશીલ છે. 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મુખ્ય પ્રધાન વયશ્રી યોજનાનો લાભ મળશે (સામાજિક ન્યાય વિભાગ)

– નગરોત્થાન મહાભિયાન હવે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં લાગુ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવશે
(શહેરી વિકાસ વિભાગ)
– પર્યટનને પ્રોત્સાહન આપવા જુન્નર તાલુકામાં ચિત્તા સફારી (વન વિભાગ)
– શિરડી એરપોર્ટનું વધુ વિસ્તરણ, નવી ઇમારતનું નિર્માણ (સામાન્ય વહીવટ વિભાગ)
– ધારાવી પુનર્વસન માટે કેન્દ્ર પાસે મિથાગર જગ્યા મંગાશે (હાઉસિંગ વિભાગ)

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us