શ્રી સંભવનાથ જિનાલય ગુજરી જૈન સંઘ કોલ્હાપુરમાં પંન્યાસ રાજરક્ષિતવિજયજી, પંન્યાસ નયરક્ષિતવિજયજી આદિ આઠ વરસ પછી પદાર્પણ કર્યું હતું. સકળ સંઘના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતાં. વિવિધ મહિલા મંડળોએ મંગળ કળશ લઈને ત્રણ પ્રદક્ષિણા આપી હતી. અહઁગ્રુપના યુવાનોએ તથા ગુજરી સંઘના ટ્રસ્ટીઓએ અક્ષતથી વધાવીને સુસ્વાગતં કર્યું હતું.પં. નયરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, શ્રી સંભવનાથ પરમાત્માની મહતીકૃપાથી પૂ.ગચ્છાધિપતિ આ.જયઘોષસૂરિજી મહારાજાની અમી દ્રષ્ટિથી આઠ વરસ પૂર્વે ગુજરી સંઘમાં ચાતુર્માસનો અવસર મળ્યો હતો. એ ચાતુર્માસમાં યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતાં. મરુધર ભવનમાં શિબિરો – પ્રભુમિલનો – બાળ શિબિરોની યાદ તાજી થઈ રહી છે.
અહીં કલ્ચર કોરોના પછી બદલાઈ રહયું હોય તેવું લાગી રહયું છે. છતાંય તમારો પ્રેમ આવકાર તો એવો મજાનો છે.પં. રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, પરમપદ (મોક્ષ) પ્રાપ્તિનો સરળ માર્ગ પ્રભુભક્તિ છે. જ્ઞાનમાર્ગ શ્રેષ્ઠ છે. તપમાર્ગ શોર્ટ છે. પરંતુ પ્રભુભક્તિ માર્ગ સરળ છે. બાળ હોય કે યુવાન, રોગી હોય કે નિરોગી, શ્રીમંત હોય કે ગરીબ ભક્તિમાં તો બધાજ જોડાઈ શકે છે. દુઃખ અને દોષથી છુટકારો મેળવવા માટે ઉલ્લાસપૂર્વક ભક્તિ કરવી જોઈએ.તા. ૩૦ માર્ચ સવારે ૭:૦૦ કલાકે પ્રવચન, ૯:૦૦ કલાકે અઢાર અભિષેક પૂજન છે. તા.૩૧ માર્ચ સવારે ૯:૧૫ કલાકે શ્રી સંભવનાથ જિનાલયની ૧૭ મી સાલગીરી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH