શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ એની સેવાયાત્રાનાં ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૧મા વર્ષમાં પ્રવેશ રામનવમીના પવિત્ર દિવસે કરી રહ્યો છે. આ ઉત્સવની ઉજવણી નિમિત્તે ૧૭ એપ્રિલે ઘાટકોપર (ઈસ્ટ)માં એમ. જી. રોડ પર આવેલા સમાજ ભવનમાં વિશિષ્ટ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રખ્યાત સંગીતવિશારદ સુરેશ જોષી અને રેખા ત્રિવેદી તેમજ સાથી કલાકારો દ્વારા ભગવાન શ્રીરામનાં ભજનોની રમઝટ બોલાવવામાં આવશે. ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરવા સૌ નગરજનોને સમાજ દ્વારા સ્નેહભર્યું આમંત્રણ છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/14-1-1.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)