રેલવે સ્ટેશન સહિત એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેથી મધ્ય રેલવેએ હવે એક્સપ્રેસ ટ્રેન પછી ઉપનગરીય માર્ગ પર દોડતી તમામ લોકલ ટ્રેનમાં સ્મોક ડિટેક્શન યંત્રણા લગાડવાનો નિર્ણય લીધો છે. તેથી કોઈ ડબ્બામાં આગ લાગશે તો તરત એનો એલર્ટ મોટરમેન સહિત કન્ટ્રોલ રૂમને મળશે. પરિણામે તરત ટ્રેન થોભાવીને મોટો અનર્થ ટાળવો શક્ય થશે. મધ્ય રેલવે તરફથી ઉપનગરીય માર્ગ પર દરરોજ 1820 ફેરી ચલાવવામાં આવે છે. એમાં લગભગ 45 લાખ પ્રવાસીઓ ગિરદીમાં પ્રવાસ કરે છે.
અત્યારે રેલવેના મુંબઈ વિભાગમાં સ્ટેશન, લોકલ ટ્રેન સહિત પ્લેટફોર્મ પર દરરોજ સરેરાશ ચારથી પાંચ આગની ઘટના બને છે. આગની વધતી ઘટનાઓની પાર્શ્વભૂમિ પર મધ્ય રેલવેએ પોતાની એક્સપ્રેસ ટ્રેનના 837 ડબ્બાઓમાં સ્મોક ડિટેક્શન યંત્રણા લગાડી છે. માર્ચ મહિનાના અંત સુધી બાકીના 372 ડબ્બાઓમાં આ યંત્રણા લગાડવામાં આવશે. પહેલા તબક્કાનું ચાલી રહેલું કામ પૂરું થયા પછી લોકલ ટ્રેનના લગભગ 1872 ડબ્બાઓમાં આ યંત્રણા લગાડવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના મહાવ્યવસ્થાપક રામ કરણ યાદવે આપી હતી. તેથી ગિરદીમાં પ્રવાસ કરતા લોકલના પ્રવાસીઓની સુરક્ષિતતામાં વધારો થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ