શ્રી ઘાટકોપર આગ્રારોડ સ્થા.જૈન શ્રાવક સંઘની ૧૪મી મેના યોજાનારી ચૂંટણી બેમુદત મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણી કમિશનર આશિષ અજમેરાએ સંઘને લખેલા પત્રમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ સમાચારે સંઘની ચૂંટણીમાં આચરવામાં આવેલી કેટલીક મનમાની પ્રવૃત્તિ અંગેનો અહેવાલ બે દિવસ પહેલાં જ આપ્યો હતો આ અહેવાલ આવ્યા બાદ સમગ્ર ઘાટકોપરમાં તેના પડઘા પડ્યા હતા જેને પગલે અનેક લોકોએ સંઘ પાસે જવાબ માગવાનું ચાલુ કર્યું હતું.

આખા વિવાદની શરૂઆત કેટલાક લોકોની ઉમેદવારી કારણ આપ્યા વગર રદ કરવામાં આવી ત્યારે થયો હતો. આ વિવાદને પગલે જ્યારે તપાસ થઈ ત્યારે અનેક સ્થળે ખોટી મનમાની અને પક્ષપાત કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. અત્યારે મળતી જાણકારી મુજબ ચૂંટણી કમિશનર આશિષ અજમેરાએ ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે સંઘને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સંઘના કેટલાક સભ્યો સાથે વાતચીત કર્યા બાદ એવું લાગી રહ્યું છે કે હાલના તબક્કે ચૂંટણી યોજવી યોગ્ય નથી આથી હાલમાં આ ચૂંટણી રદ કરવામાં આવી રહી છે. સંઘની હાલની કમિટી જ કામ ચાલુ રાખશે અને ટૂંક સમયમાં જ ચૂંટણી અંગેની નવી જાહેરાત કરવામાં આવશે.

ચૂંટણી કમિશનરે આપ્યું રાજીનામું
ચૂંટણી કમિશનર આશિષ અજમેરાએ ચૂંટણીને રદ કરવા બાબતે લખેલા પત્રની સાથે પોતાના પદેથી રાજીનામાનો પત્ર પણ મોકલી આપ્યો છે. સંઘને લખેલા રાજીનામામાં તેમણે જણાવ્યું છે કે સંઘમાં કેટલાક સભ્યોની વિચારધારા અલગ છે કેટલાક લોકોની વચ્ચે કમ્યુનિકેશનનો ગેપ છે આવા બધા કારણોને કારણે કેટલાક વિવાદો સર્જાયા હતા.આગામી સમયમાં સંઘે સંઘની જ કોઈ વ્યક્તિને ઈલેક્શન કમિશનર નીમવા જેથી કરીને સંઘના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ રીતે નિર્ણય લઇ શકે. પોતાના રાજીનામામાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે જો કોઈને એમ લાગતું હોય કે મેં ખોટા નિર્ણયો લીધા છે એના માટે સૌને મિચ્છામિ દુક્કડમ કરું છે આમ કરીને તેમણે રાજીનામું સંઘને સોંપ્યું હતું.

સુરેશભાઈ પંચમિયાએ કહ્યું હતું કે આખરે સત્યનો વિજય થયો છે સત્યની સાથે ઈશ્ર્વર હોય છે જે વ્યક્તિ ઈલેક્શન કમિશનર તરીકે હતા તેમણે પોતાના આત્માની સાક્ષીએ નિર્ણય લીધો છે તે સરાહનીય છે, ઈલેક્શન કમિશનરના ચૂંટણીને હાલ પૂરતી રદ કરવાનો નિર્ણય આવકારપાત્ર છે અને આશિષભાઈ કામદારે એટલા માટે રાજીનામુ આપ્યું છે કારણ કે જે સાચા અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા માણસો આવા સર્કલમાં કામ કરી શકે જ નહિ.

સંઘના ટ્રસ્ટી અને પ્રમુખ અશોકભાઈ શાહે સમગ્ર પ્રકરણે કહ્યું હતું કે આ એક ધાર્મિક સંસ્થા છે અને એક પ્રમુખ તરીકે મારી એક જ ઈચ્છા છે કે બધા હળી મળીને રહે અને જો સમજો ચૂંટણી થાય તો પણ સર્વ સંમતિથી થવી જોઈએ. ચૂંટણી કમિશનરે જે પણ નિર્ણય લીધો છે તે આવકાર્ય છે અને જ્યાં સુધી આશિષભાઈના રાજીનામાનો સવાલ છે ત્યાં સુધી આશિષભાઈએ તેમના લેટરમાં જણાવ્યું છે કે આગળ ચૂંટણી માટે તમે સંઘના જ કોઈ સભ્યને ચૂંટણી કમિશનર તરીકે નીમો જેથી તેઓ સંઘ વિષે બધું જાણતા હોય અને યોગ્ય નિર્ણય લઇ શકે તેમનું આ કહેવું યોગ્ય છે અને અમારે સંઘમાં બધાની સંમતિથી જ કોઈ વિવાદ વગર કામ કરવા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us