મુંબઈ પોલીસને ધમકીનો ફોન આવ્યો હતો. તેથી મુંબઈ ફરીથી ત્રાસવાદીઓના નિશાના પર છે કે એવો સવાલ નિર્માણ થયો હતો. મુંબઈ પોલીસના નિયંત્રણ કક્ષને ફરીથી ધમકીનો ફોન આવ્યો અને ફોન કરનાર વ્યક્તિએ મુંબઈની ટ્રેનમાં સીરિયલ બોમ્બધડાકા થશે એમ જણાવ્યું હતું. જોકે પોલીસે એને ગણતરીના કલાકોમાં આરોપી અશોક શંકર મુખીયાને (25) જુહુ પરિસરમાંથી તાબામાં લીધો હતો. રવિવારે સવારના મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં આ ધમકીનો ફોન આવ્યો હતો. ફોન કરનાર કોલરે મુંબઈની લોકલ ટ્રેનમાં બોમ્બ મૂક્યાનો દાવો કર્યો હતો.
કોલ કન્ટ્રોલ રૂમમાં હાજર એક મહિલા પોલીસ અધિકારીએ ફોન કરનાર વ્યક્તિ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. કઈ ટ્રેન, બોમ્બ ક્યાં રાખ્યો છે એમ કોલરને પોલીસે પૂછ્યું હતું પણ એણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પણ કુર્લા, થાણે, કલ્યાણ, તિલકનગર એમ જુદા જુદા ઠેકાણા જણાવતો હતો.
જુહુ વિલેપાર્લે પરિસરમાંથી ફોન કરતો હોવાનું જણાવીને કોલરે ફોન બંધ કર્યો હતો. પોલીસે સંબંધિત વ્યક્તિના ફોનનું લોકેશન ટ્રેસ કરતા એણે જુહુ પરિસરમાંથી ફોન કર્યો હોવાનું નિષ્પન્ન થયું હતું. થોડા સમય પછી કોલરે પોતાનો મોબાઈલ સ્વીચઓફ્ફ કર્યો હતો. આ પ્રકરણે તપાસ કરતા પોલીસે કોલરના મોબાઈલ નંબરને ટ્રેસ કર્યો અને ફોન જુહુના મોરેગાવ પરિસર સ્થિત શહા હાઉસમાંથી કરવામાં આવ્યો એવી માહિતી મળી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ