કૉંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે સોમવારે એવો દાવો કર્યો હતો કે અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર ભાજપ તરફથી કરવામાં આવી છે.

કરાડમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મેં આ બાબતે જાહેરમાં કહ્યું હતું કે અજિત પવાર ભાજપની સાથે જઈ શકે છે, પરંતુ ત્યારે મારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અજિત પવારને શું મળવું જોઈએ તેના પર જ ખેંચતાણ ચાલી રહી હતી. તેમને મુખ્ય પ્રધાનપદનું વચન આપવામાં આવ્યું છે. એકનાથ શિંદેને હડસેલીને તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચવ્હાણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહારાષ્ટ્રના પહેલા મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણના સ્મારક પ્રીતીસંગમ ખાતે આવ્યા હતા અને અહીં તેમની શરદ પવાર સાથે મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે શરદ પવાર મહાવિકાસ આઘાડીના સ્થાપક હતા અને હું તેમને ટેકો આપવા માટે અહીં આવ્યો છું. પવાર સાહેબ વિપક્ષી એકતા માટે લડી રહ્યા છે અને તેઓ બેંગલુરુમાં આયોજિત વિપક્ષી બેઠકમાં હાજર રહેશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે અમને તોડવા માટે બધા જ પ્રયાસો કરવામાં આવશે એવી અપેક્ષા હતી અને તેની શરૂઆત થઈ ગઈ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us