September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

ઓડિશા ટ્રેન અકસ્માત / શું બાગેશ્વર બાબાને ખબર હતી કે રેલ દુર્ઘટના થશે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ જુઓ શું આપ્યો જવાબ

  • ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
  • મીડિયાના સવાલ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો આ જવાબ
  • ‘ઘટના વિશે જાણવાની વાત અને તેને ટાળવાની વાત બંને અલગ’

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેનોનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બહનગા રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેએ પણ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત બાદ પીએમ મોદીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ દુર્ઘટના મામલે હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ બનાવ ખૂબ જ દુઃખદ છે. અમે પ્રથમ અરજી કરીશું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય. ટ્રેન દુર્ઘટના પર મીડિયાએ જ્યારે બાગેશ્વર ધામ સરકારને પૂછ્યું કે તમારી શક્તિ મોટી ઘટનાના સંકેત આપી શકે છે? તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, હા.

અમે અમારી શક્તિનો ઉપયોગ કરતા રહીશુંઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, ઘટના વિશે જાણવાની વાત અને તેને ટાળવાની વાત બંને અલગ છે. ભગવાન કૃષ્ણ એ જાણતા હતા કે મહાભારત થશે, પરંતુ તેઓ તેને રોકી શક્યા નહોતા. અમારી શક્તિઓ આ સંકેત આપે છે કે જેટલી પવનની ગતિ છે, ત્યાં સુધી સંકેત મળી શકે છે. અમે રાષ્ટ્રહિતની અરજી લગાવતા રહીએ છીએ. બાગેશ્વર ધામ સરકારે વધુમાં જણાવ્યું કે આતંકી હુમલો હોય, ગુપ્ત વાત હોય, અમે અમારી શક્તિનો ઉપયોગ કરતા રહીશું.

જુઓ વિડીયો

‘ભગવાન પાસે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે’
તેમણે જણાવ્યું કે, ઘણા વૈજ્ઞાનિકો-ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ ગુપ્ત રીતે અમારી પાસે આવે છે, રોયા વગર તો માં પણ બાળકને દૂધ નથી પીવડાવતી તો જ્યાં સુધી કોઈ અમારી પાસે આવે નહીં, બાલાજી પાસે અરજી લગાવે નહીં, તો અમે કેવી રીતે કોઈને સામેથી કંઈ જણાવી શકીએ. ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 મિનિટનું મૌન રાખ્યું હતું. અમે ભગવાન પાસે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

288 લોકોએ ગુમાવ્યા છે જીવ
જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કરમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને દેશની આઝાદી પછીની સૌથી મોટી રેલ દુર્ઘટના માનવામાં આવી રહી છે. આ અકસ્માતમાં 900 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us