સ્મશાનભૂમિનું સતત બે મહિના સુધી વીજબિલ ભરવામાં પાલિકાની નિષ્ફળતાને પરિણામે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડે વીજપુરવઠો કાપી નાખ્યો હતો. ત્યારબાદ ૧૫ દિવસ પછી પાલિકાએ વીજબિલ ભરી દેતાં ફરીવાર વીજપુરવઠાનું જોડાણ કરવામાં આવ્યું છે. જેને પરિણામે અહીંની ગેસની ચીમની બંધ થઈ ગઈ હતી. એને કારણે અહીં અગ્નિસંસ્કાર માટે આવતી બોડીને લાકડાં પર બાળવાની ફરજ પડી હતી. એને લીધે મોટા પ્રમાણમાં ધુમાડો આસપાસની સોસાયટીઓમાં અને સ્થાનિક લોકોના ઘરમાં ગયો હતો.
આ પાછળનું કારણ જાણતાં સામે આવ્યું હતું કે પાલિકા દ્વારા છેલ્લાં બે મહિનાનું બિલ ભરવામાં ન આવતાં મહાવિતરણે અહીંનો વીજપુરવઠો ખંડિત કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH