જવાહર નગર ગોરેગાંવ જૈન સંઘમાં તપસ્વી રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી રાજપુણ્ય વિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી રાજસુંદર વિજયજી મહારાજ આદિ સાધુ-સાધ્વીજી ભગવંતની પાવન મિ નિશ્રામાં કાલે – ગુરુવારે 450થી વધુ સંખ્યામાં આયંબિલ તપની આરાધના થઈ હતી.

ચારેય બાજુ હિંસામય વાતાવરણ હોવાનાં કારણે સમસ્ત વિશ્વના મંગલ માટે તથા જીવ માત્રને સન્મતિ મળે એ હેતુથી પૂજ્યશ્રીએ પ્રવચનમાં આયંબિલના તપની આરાધના કરવા માટે આગ્રહ પૂર્ણ પ્રેરણા કરી હતી. પૂજ્યશ્રીની પ્રેરણાને શ્રી સંઘના સભ્યોએ સમર્પણ ભાવ સાથે ઝીલી હતી.

કેટલાક ભક્તો તો નવકારસીની ઈચ્છા સાથે પ્રવચનમાં આવ્યા હતા, પણ મંગલમય પ્રવચનનું શ્રવણ કરી ત્યાં જ આયંબિલ તપ કરવાનો અભિગ્રહ કર્યો હતો. પૂજ્યશ્રીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે આયંબિલના તપ દ્વારા તનના રોગનો નાશ થાય છે, મનના વિકારોનો નાશ થાય છે, સાથે સાથે જીવનમાં આવતા વિઘ્નોનો પણ નાશ થાય છે.

પૂર્વના દિવસે મેવાડની ભૂમિના શાસનરત્ન ભામાશાહનો જન્મદિવસ હોવાથી તેમના જીવન ચરિત્ર વિશે પણ પૂજ્યશ્રીએ સંક્ષિપ્તમાં જણાવ્યું હતું. ભામાશાહનું ઐતિહાસિક જીવન ચરિત્રનું શ્રવણ કરી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us