ગણેશોત્સવમાં ચાર દિવસ મધરાત સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવી છે. આ સિવાય ગણપતિ આગમન અને વિસર્જન માટેના માર્ગો પર તાત્કાલિક ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્દેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો. દહીંહાંડી, ગણેશોત્સવ ઉત્સાહ, શાંતિથી અને ધૂમધામથી ઉજવતી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની અપીલ પણ શિંદેએ કરી હતી.
મુંબઈના સહ્યાદ્રી અથિતિગૃહ ખાતે સોમવારે રાત્રે મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળ બેઠક યોજાઇ હતી. ગણેશોત્સવ દરમિયાન દોઢ દિવસ, પાંચ દિવસ, નવમા અને અનંત ચતુર્થીના દિવસે રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
મુંબઈના દરેક રસ્તાઓ, ગલ્લીમાં સફાઇ રાખવાનો પાલિકા કમિશનરને આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લાધિકારી, પાલિકા કમિશનર, પોલીસ અધિકારીઓએ દહીંહાંડી, ગણેશોત્સવ મંડળોના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને તેમની સમસ્યાઓ સમજી લેવી તથા સકારાત્મક રીતે તેનો ઉકેલ લાવવાનો નિર્દેશ પણ શિંદેએ કર્યો હતો. હાલમાં ૭૫,૦૦૦ ગોવિંદાને વીમા કવચ આપવામાં આવ્યું છે અને બાકીના ગોવિંદાના પણ વીમા કઢાવવાનું શિંદેએ કહ્યું હતું. અનેક વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતા મંડળોને એક સાથે પાંચ વર્ષની પરવાનગી આપવાની જોગવાઇ કરવામાં આવે એવો નિર્દેશ પણ તેમણે કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ