ગણેશોત્સવને માંડ ત્રણ મહિના રહ્યા છે ત્યારે મૂર્તિકારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેથી મહાપાલિકાએ મૂર્તિકારો અને વિક્રેતાઓ માટે નિયમાવલી જાહેર કરી છે. એ અનુસાર ગણપતિની ઘરગથ્થુ મૂર્તિ હોય તો શાડૂ અથવા પર્યાવરણપૂરક ઘડવી ફરજિયાત કરવામાં આવ્યું છે. મૂર્તિ પર્યાવરણપૂરક છે એ સમજવા માટે મૂર્તિની પાછળ જમણા ખભા પર લીલા રંગનું વર્તુળ અને પીઓપીમાંથી મૂર્તિ ઘડી હોય તો લાલ રંગનું વર્તુળનું માર્કિંગ કરવું એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બાબતે મહાપાલિકા અધિકારી મુલાકાત કરીને નિરીક્ષણ કરશે.
પર્યાવરણપૂરક ગણેશોત્સવ માટે મહાપાલિકાએ પહેલી નિયમાવલી જાહેર કરી છે. એના માટે આ વર્ષે મૂર્તિકારોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એ અનુસાર મૂર્તિકારોએ પર્યાવરણપૂરક મૂર્તિ બાબતનું બોર્ડ દેખાય એ રીતે લગાડવાનું ફરજિયાત રહેશે. સાર્વજનિક અને ઘરગથ્થુ ગણેશોત્સસવ ઉજવવાનારાઓએ પર્યાવરણપૂરક ગણેશોત્સવ જ ઉજવવો એવી હાકલ મહાપાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવી છે. આ બાબતે સમયે સમયે જાહેર કરવામાં આવેલી નિયમાવલીના નિયમ ભંગ કર્યાનું ધ્યાનમાં આવતા પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 અનુસાર સંબંધિત વ્યક્તિ કાર્યવાહીને પાત્ર રહેશે એમ મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે.
મુંબઈમાં પર્યાવરણપૂરક ગણેશોત્સવ ઉજવવા માટે મહાપાલિકા અનેક ઉપક્રમ અમલમાં મૂકે છે. એમાં શાડૂ કે પર્યાવરણપૂરક મૂર્તિ બનાવનારા મૂર્તિકારોને આ વર્ષે પ્રાયોગિક ધોરણે વહેલો તે પહેલો ધોરણ અનુસાર જગ્યા અને શાડૂની માટી મફત આપવામાં આવશે. આ વર્ષે મૂર્તિકારોએ ઓનલાઈન અરજી કરવી પડશે. એના માટે અરજદાર જાતે મૂર્તિકાર હોવું ફરજિયાત રહેશે. આ બાબતે મહાપાલિકાને ખાતરીપત્ર લખીને આપવો પડશે. આ બાબતે મહાપાલિકા કોઈ પણ સમયે જઈને તપાસ કરશે.
નિયમાવલીમાં બીજું શું છે?
ઘરગથ્થુ ગણેશોત્સવ માટેની મૂર્તિ મહત્તમ 4 ફૂટની હોવી જોઈએ. તમામ ઘરગથ્થુ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવું. ઓછી ઉંચાઈની તમામ સાર્વજનિક ગણેશોત્સવની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવું. મૂર્તિકારોને મંડપ માટે ઓનલાઈન પરવાનગી મળશે. પરવાનગી માટે વોર્ડ કાર્યાલયમાં અરજી કરી શકાશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ