July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ઘાટકોપર-સીએસએમટી લોકલ ટ્રેનને કારણે મધ્ય રેલવેનું ટાઈમટેબલ ખોરવાઈ રહ્યું હોવાનો આક્ષેપ

મધ્ય રેલવે પર દરરોજ મોડી પડતી લોકલ ટ્રેનો (Central Railway Local Train Delay)ને કારણેપ પ્રવાસીઓ પરેશાન હોય છે. આ બધા વચ્ચે Home Platform ના હોવા છતાં ઘાટકોપર-સીએસએમટી લોકલ ટ્રેન (Ghatkopar-CSMT Local Train) દોડાવવામાં આવતી હોવાને કારણે પ્રવાસી સંઘઠન દ્વારા રોષની લાગણી વ્યક્ત કરાઈ રહી છે. આ લોકલ ટ્રેનોને કારણે જ મધ્ય રેલવેનું ટાઈમટેબલ ખોરવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ઘાટકોપર-સીએસેમટી અપ-ડાઉન એમ છ લોકલ ટ્રેનો દોડાવવામાં આવે છે, જેને કારણે મધ્ય રેલવેની પંક્ચ્યુઆલિટી પર અસર જોવા મળી રહી છે. ધસારાના સમયે ટ્રેનો મોડી પડતાં ભીડ વધે છે અને એને કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે, જેને કારણે નવા ટાઈમટેબલમાં ઘાટકોપર-સીએસએમટી લોકલને થાણે કે ડોંબિવલી સુધી લંબાવવાની માગણી પણ કરાઈ રહી છે.

મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સૌથી મહત્ત્વના એવા કલવા-ઐરોલી લિંકનું કામ છેલ્લાં કેટલાય વર્ષોથી લંબાઈ ગયું છે. કલવા કારશેડ જતી લોકલ ટ્રેનમાં પણ પ્રવાસીઓ ચઢી શકે એ માટે હોમ પ્લેટફોર્મની માગણી કરાઈ રહી છે, પણ પોલીસ દ્વારા એ તરફ દુર્લક્ષ કરાઈ રહ્યું છે. આ સિવાય પણ અનેક રેલવે લાઈનનું કામ રખડી પડ્યું છે, જેને કારણે લોકલ ટ્રેનોની સંખ્યા વધારવામાં મુશ્કેલી પડી રહી છે.

ઘાટકોપર સીએસએમટી લોકલ (Ghatkopar-CSMT Local Train) ચલાવવા માટે 15થી 20 મિનિટ કરતાં વધારે સમય લાગે છે જેને કારણે આ લોકલની પાછળની લોકલ ટ્રેનો ખોરવાઈ જાય છે. છેલ્લાં કેટલાય વર્ષોથી ઘાટકોપર સીએસએમટી લોકલ ટ્રેન દોડાવવામાં આવી છે. પ્રવાસી સંગઠન દ્વારા આ ટ્રેનોને થાણે કે ડોંબિવલી સુધી લંબાવવાની માંગણી કરવામાં આવી રહી છે.

રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસી સંઘઠનની માગણી તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. આ લોકલ ટ્રેનોને કારણે લોકલ ટ્રેનના ટાઈમટેબલ પર અસર જોવા મળી રહી છે. ઘાટકોપર ખાતે હોમ પ્લેટફોર્મ ન હોવા છતાં અહીંથી લોકલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેને કારણે મોટરમેન, ટ્રેન મેનેજરને સજ્જ રહેવું પડે છે. સવારના સમયે ઘાટકોપરથી સીએસએમટી અપ-ડાઉન લોકલ ટ્રેન (Ghatkopar-CSMT Local Train)ને કારણે રેલવેનું ટાઈમટેબલ ખોરવાઈ રહ્યું છે, જો આ લોકલ ટ્રેનો આગળ લંબાવવામાં આવે તો ઘાટકોપરની સાથે સાથે અન્ય પ્રવાસીઓને પણ તેનો લાભ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us