July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

IPL 2024: શું આ નિયમ ઓલરાઉન્ડર્સને ખતમ કરી રહ્યો છે? ટીમ ઈન્ડિયા પર પડી રહી છે અસર

ટીમ ઈન્ડિયા આઈપીએલ 2024 બાદ ટી20 વર્લ્ડ  કપ 2024 રમશે. આ ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ એક મજબૂત ટીમ પસંદ કરવા ઈચ્છશે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા સામે એક મોટો સવાલ એ છે કે જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ ન થાય તો તેના જેવી બોલિંગ અને બેટિંગ કરનારો બીજો ઓલરાઉન્ડર કોણ છે.

IPL 2024 વચ્ચે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. આ નિયમ હેઠળ દરેક મેચ માટે તમમ ટીમો પાસે 5 ઈમ્પેક્ટ પ્લેયર હોય છે. જેમાથી ટીમ એક ખેલાડીની પસંદગી કરી શકે છે. દરેક મેચમાં ટીમ આ નિયમ હેઠળ એક ખેલાડીનો ઉપયોગ કરે છે. જો કોઈ ટીમને મેચ દરમિયાન બેટરની જરૂર પડે તો ટીમ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એક ખેલાડીને વાપરે છે અને ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનના એક ખેલાડીએ મેદાન બહાર બેસવું પડે છે.

જો કોઈ ટીમને બોલરની જરૂર હોય તો ટીમ બોલરનો ઉપયોગ કરે છે. ભલે આઈપીએલમાં તમામ ટીમ આ નિયમનો ફાયદો ઉઠાવી રહી હોય  પરંતુ આ નિયમની સીધી અસર ઓલરાઉન્ડર્સ પર જોવા મળી રહી છે જે ટીમ ઈન્ડિયા માટે યોગ્ય નથી. 

ટીમ ઈન્ડિયા પર પડી રહી છે અસર!
ટીમ ઈન્ડિયા આઈપીએલ 2024 બાદ ટી20 વર્લ્ડ  કપ 2024 રમશે. આ ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ એક મજબૂત ટીમ પસંદ કરવા ઈચ્છશે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા સામે એક મોટો સવાલ એ છે કે જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ ન થાય તો તેના જેવી બોલિંગ અને બેટિંગ કરનારો બીજો ઓલરાઉન્ડર કોણ છે. જો કે ભારત પાસે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર્સ છે પરંતુ આ બંને ખેલાડી સ્પીન બોલિંગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી ટીમો પાસે સીમ-બોલિંગ ઓલરાઉન્ડર્સની ભરમાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ઓલ રાઉન્ડર્સના પ્રભાવને ખતમ કરી રહ્યો છે. આ નિયમ પર અનેક  ભારતીય પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ સવાલ ઉઠાવી ચૂક્યા છે. 

શું હોય છે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ?
ઈમ્પેક્ટ પ્લેયર નિયમ આઈપીએલ 2023માં લાગૂ થયો હતો. જે હેઠળ તમામ ટીમોએ ટોસ દરમિયાન પોતાના 5 ઈમ્પેક્ટ પ્લેયરના નામ આપવાના હોય છે. મેચ દરમિયાન ટીમ  ઈમ્પેક્ટ પ્લેયરનો યૂઝ કરી શકે છે. મેચમાં તમામ ટીમ આ નિયમ હેઠળ ફક્ત એક જ વખત ખેલાડી બદલી શકે છે. આઈપીએલ 2024માં અત્યાર સુધી જોવા મળ્યુ છે કે અનેક ખેલાડીઓએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં એન્ટ્રી મારી અને ટીમને જીતાડી દીધી. કેકેઆર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં જોશ બટલર પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા ઉતર્યો હતો અને બટલરે શાનદાર સદી ફટકારી અને રાજસ્થાનને જીતાડી દીધુ. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us