July 27, 2024
11 11 11 AM
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી
Breaking News
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી

Health Tips – ઉનાળામાં તમે પણ રોજ ખાવ છો દહીં ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ

ગરમીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે તેવું માનવામાં આવે છે પરંતુ જરૂર કરતાં વધારે દહીંનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તેમાં પણ જો પહેલાથી જ શરીરમાં આ 5 સમસ્યા હોય તો દહીં ખાવાથી નુકસાન થાય છે. 

ગરમીની શરૂઆત થાય એટલે ભોજનમાં દહીં ખાવાની સલાહ મોટાભાગે આપવામાં આવે છે. દહીંની તાસિર ઠંડી હોય છે, દહીં ખાવાથી ગરમીથી બચવામાં પણ મદદ મળે છે. દહીં ખાવાથી પાચન, ગટહેલ્થ અને ઇમ્યુનિટીને ફાયદો થાય છે. પરંતુ ઉનાળામાં પણ કેટલાક લોકો દહીં ખાય તો તેમની તકલીફ વધી શકે છે. 

દહીં એ હેલ્ધી ડેરી પ્રોડક્ટ છે પરંતુ જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો તેનાથી આડઅસરો પણ થાય છે. ગરમીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે તેવું માનવામાં આવે છે પરંતુ જરૂર કરતાં વધારે દહીંનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તેમાં પણ જો પહેલાથી જ શરીરમાં આ 5 સમસ્યા હોય તો દહીં ખાવાથી નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ દહીં ખાવાથી થતા નુકસાન વિશે. 

દહીંથી થતા નુકસાન 

– દહીમાં કેલરીની સાથે ફેટ પણ હોય છે. જેના કારણે દહીં વજન વધવાનું કારણ બની શકે છે. જો તમારું વજન પહેલાથી જ વધારે છે તો નિયમિત રીતે દહીં ખાવું તમારા વજનને વધારી શકે છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરો છો તો લો ફેટ દહીંનું જ સેવન કરવું. 

– દહીમાં લેક્ટોઝ હોય છે. જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્સ હોય તેવા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જો આ સમસ્યા હોય તો દહીં ખાવાથી બચવું જોઈએ. આ તકલીફમાં દહીં ખાવાથી તબિયત બગડી શકે છે.

– દહીમાં કેલ્શિયમ વધારે હોય છે. જે લોકોને કિડની સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેમની સમસ્યાને દહીંમાં રહેલું કેલ્શિયમ નુકસાન કરી શકે છે. તેથી જો તમને કિડની સંબંધિત સમસ્યાઓ હોય તો ભૂલથી પણ હાઈ લેવલ કેલ્શિયમથી ભરપૂર દહીં ખાવું નહીં. 

– રિસર્ચમાં સામે આવ્યું છે કે દહીંનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી મસ્તિષ્કની કાર્યપ્રણાલી પર પણ અસર થાય છે. તેથી જો નિયમિત દહી ખાવું હોય તો મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું. 

 દહીંની તાસિર ઠંડી હોય છે. તેથી જે લોકોને શરદી, ઉધરસ કે અસ્થમા હોય તેમણે દહીં ખાવાનું ટાળવું જોઈએ. દહીં ખાવાથી શરદી, ઉધરસ થઈ શકે છે જે અસ્થમાના રોગી માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us