July 27, 2024
11 11 11 AM
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી વધતા મુંબઈ, થાણે, ભિવંડીમાં 10 ટકા પાણીકાપ હટાવાયો
Breaking News
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી વધતા મુંબઈ, થાણે, ભિવંડીમાં 10 ટકા પાણીકાપ હટાવાયો

Health Tips – બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણી લો તેની આડઅસરો વિશે

કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. જો તમે પણ આંખ બંધ કરીને કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરો છો તો હવેથી આવી ભૂલ ન કરતા. આજે તમને એપલ સાઇડર વિનેગરથી થતી આડઅસર વિશે જણાવીએ. જેના વિશે જાણીને જ નક્કી કરજો કે તમારે આ ટ્રેન્ડ ફોલો કરવો છે કે નહીં. 

વજન ઘટાડવાનો ક્રેઝ એટલો બધો વધારે છે કે લોકો વજન ઘટાડવાનો જે નવો ટ્રેન્ડ આવે તેને ફોલો કરવા લાગે છે. હાલ આવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એપલ સાઇડર વિનેગર પીવાનો. સવારના સમયે ખાલી પેટ એપલ સાઇડર વિનેગર પીવાથી વજન ઘટવા સહિતના ફાયદા થાય છે. આ ફાયદાઓ માટે અનેક લોકો આ ટ્રેન્ડને ફોલો કરે છે. હકીકતમાં એપલ વિનેગરથી ફાયદા તો થાય છે પરંતુ તેની સાથે તેની આડ અસરો પણ હોય છે. 

કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. જો તમે પણ આંખ બંધ કરીને કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરો છો તો હવેથી આવી ભૂલ ન કરતા. આજે તમને એપલ સાઇડર વિનેગરથી થતી આડઅસર વિશે જણાવીએ. જેના વિશે જાણીને જ નક્કી કરજો કે તમારે આ ટ્રેન્ડ ફોલો કરવો છે કે નહીં. 

ખાલી પેટ એપલ સાઈડર વિનેગર પીવાથી થતા નુકસાન

બગડી શકે છે પાચન 

જો લાંબા સમય સુધી ખાલી પેડ એપલ સાઈડર વિનેગર પીવામાં આવે તો તે પાચન માટે હાનિકારક છે. જો પંદર દિવસથી વધુ સમય સુધી ખાલી પેટ વિનેગર પીવામાં આવે તો ડાયજેશન સિસ્ટમ ખરાબ થઈ શકે છે કારણ કે વિનેગરમાં હાઈ એસિડ હોય છે જે પેટની અંદરની પરતને નુકસાન કરે છે. 

બ્લડ સુગર લેવલ ઘટી શકે છે 

એપલ સાઇડર વિનેગરના ઘણા બધા ફાયદા છે પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે તેમણે વિનેગર પીતા પહેલા સાવધાન રહેવું. નિષ્ણાંતો જણાવે છે કે એપલ સાઈડર વિનેગર બ્લડ સુગરને સ્થિર રાખે છે. પરંતુ ખાલી પેટ તેનું સેવન કરો છો તો તેની આડઅસર પણ થઈ શકે છે. વિનેગરના કારણે બ્લડ સુગર ઝડપથી ઘટી શકે છે. 

દાંતને નુકસાન 

જો તમે એપલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કર્યા વિના પીવો છો તો આજથી જ સતર્ક થઈ જાઓ. વિનેગરના કારણે દાંતનું ઈનેમલ ખરાબ થઈ શકે છે. વિનગરમાં હાઈ એસીડીક કન્ટેન્ટ હોય છે. જે દાંતને ખરાબ કરી શકે છે અને દાંતનો રંગ પીળો પાડે છે. 

રિએક્શન 

વિનેગરની સાથે કેટલીક દવાઓનું સેવન કરવામાં આવે તો તેનાથી રિએક્શન પણ આવી શકે છે. જો તમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય અને તમે અલગ અલગ દવાઓ લઈ રહ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ વિનેગરનું સેવન કરજો. કેટલીક દવાઓ અને વિનેગર સાથે મળે તો તેનું રિએક્શન તબિયત બગાડી શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “Health Tips – બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણી લો તેની આડઅસરો વિશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us