September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

ઘાટકોપરના લાયન્સ મ્યુનિસિપલ સ્વિમિંગ- પૂલને શું ખરેખર રિનોવેશન અને લીકેજને ઠીક કરવા બંધ કરવામાં આવ્યો છે?

બીએમસીના અધિકારીઓએ ઘાટકોપરના લાયન્સ મ્યુનિસિપલ સ્વિમિંગ- પૂલને રિનોવેશન અને લીકેજને ઠીક કરવા બંધ કરી દીધો હતો. જોકે થયું છે એવું કે એની સ્થિતિ વધુ બગડી છે અને ૧૯૭૦ના દાયકાથી સ્વિમિંગ-પૂલના મેમ્બર એવા વડીલો અને યુવાનોએ ત્યાં ફરી જવાની અપેક્ષા ગુમાવી દીધી છે. અટકળો લગાવાઈ રહી છે કે બીએમસી અહીં છ માળનું બિલ્ડિંગ બનાવશે જેના ટૉપ ફ્લોર પર સ્વિમિંગ-પૂલ હશે.

એક વૃદ્ધ મેમ્બરે જણાવ્યું હતું કે ૧૯૭૦ના દાયકામાં આ સ્વિમિંગ-પૂલ શરૂ થયો હતો અને હજાર મેમ્બર જોડાયા હતા. ઘાટકોપરના એક વેપારીએ જણાવ્યું હતું કે ‘૨૦૧૮માં એ બંધ થયો ત્યાર પછી સભ્યોએ ચેમ્બુર સુધી જવું પડતું હતું. ૭૫ વર્ષના એક સભ્ય પાર્કસાઇટથી ચેમ્બુર સુધી સાઇક્લ પર જાય છે.’ સિનિયર સિટિઝન મેમ્બરોએ જણાવ્યું હતું કે ‘એ સમયે સુધરાઈના અધિકારીઓએ સુવિધા બંધ કરવા માટે રિનોવેશન અને લીકેજ જેવાં વિવિધ કારણો આપ્યાં હતાં. પાંચ વર્ષ પછી સ્વિમિંગ-પૂલ વધુ ખરાબ થઈ ચૂક્યો છે.’

સ્વિમિંગ-પૂલની મુલાકાત લેતા કાટ લાગેલાં મોંઘાં મશીનો, ઊખડી ગયેલી ટાઇલ્સ અને કાટ ખાયેલા ધાતુના પાર્ટ્સ જોવા મળ્યાં હતાં. મધ્યમાં આવેલા ફુવારો શેવાળથી ઢંકાયેલો છે. સ્વિમિંગ-પૂલ બંધ થયો એનાં બે વર્ષ પહેલાં સુધરાઈએ ઓઝોન વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના માટે ૨.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બીએમસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે bmc ના અધિકારીઓ નવી સુવિધાઓ ખોલવામાં વ્યસ્ત છે, કારણ કે તેમણે આવક દર્શાવવાની હોય છે. તેઓ શા માટે જૂની સુવિધાઓ ફરીથી ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરે? બીએમસીએ દહિસર અને મલાડમાં એક-એક સ્વિમિંગ-પૂલ (એક મહિના પહેલાં) ખોલ્યા હતા અને બીજાનું ટૂંક સમયમાં વડાલામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.’

એક સિનિયર સિટિઝન મેમ્બરએ જણાવ્યું હતું કે કહ્યું હતું કે ‘આ સ્વિમિંગ-પૂલ ઘાટકોપરના સિનિયર સિટિઝનો માટે મીટિંગ પૉઇન્ટ હતો, પરંતુ બીએમસીએ એ બંધ કરી દીધો. હવે અમારો અડધો દિવસ ચેમ્બરના સ્વિમિંગ પૂલ સુધી પહોંચવાના ટ્રાફિકમાં વેડફાય છે. હું નિવૃત્ત છું એટલે મને મોડું થાય તો પરવડે છે, પરંતુ ઑફિસ જનારાઓ માટે એ મુશ્કેલ છે. સિનિયર સરકારી અધિકારીઓ એટલા નિષ્ઠુર છે કે તેઓ સિનિયર સિટિઝનો વિશે વિચારતા નથી. ઘાટકોપરના સ્વિમિંગ-પૂલમાં જતા ૯૦ ટકાથી વધુ વરિષ્ઠ સભ્યોએ હવે તરવાનું બંધ કરી દીધું છે. આ અધિકારીઓ અને સરકાર મામલાની ગંભીરતા સમજે છે? હું મારી ફરિયાદ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિશોર ગાંધીને મળવાનું આયોજન કરી રહ્યો છું.’

આ વિસ્તારનાં સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અહીં છ માળનું બિલ્ડિંગ ઊભું કરવા માટે વાતચીત ચાલી રહી છે. ચર્ચા મુજબ બીએમસી દ્વારા છ માળના સંકુલના ઉપરના માળે સ્વિમિંગ-પૂલ બનાવવાની યોજના છે. જોકે રહેવાસીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ-પૂલની સુવિધા ઇચ્છે છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us