September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

મેટ્રો ૬ કારશેડ માટે કાંજુરમાર્ગને ગ્રીન સિગ્નલ

સ્વામી સમર્થનગરથી વિક્રોલી મેટ્રો-6 રૂટ માટે કારશેડનો માર્ગ ટૂંક સમયમાં ખુલ્લો થશે. મેટ્રો-6ના કારશેડ માટે કાંજુરમાં 15 હેકટન જમીન મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણને હસ્તાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ રાજ્ય સરકારે મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીને આપ્યો છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મેટ્રો-6 રૂટનું કામ અત્યારે ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

આ રૂટ 2025માં શરૂ કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે. જોકે આ રૂટના કારશેડની સમસ્યા ગંભીર બની હતી. એમએમઆરડીએએ આ રૂટના કારશેડને કાંજુરમાર્ગની જમીન પર પ્રસ્તાવિત કરી હતી. મહાવિકાસ આઘાડી સરકારે પોતાના સમયમાં મેટ્રો-3 (કોલાબા-બાન્દરા-સીપ્ઝ) રૂટનો કારશેડ આ જ જમીન પર ખસેડવાનો નિર્ણય લીધો હતો. જમીનની માલિકી પરથી શરૂ થયેલ વિવાદ કોર્ટમાં પહોંચ્યો. મેટ્રો-3નો કારશેડ આરેમાંથી કાંજુર ખસેડવાનો ભાજપે વિરોધ કર્યો. તેથી જ શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવ્યા પછી કારશેડ કાંજુરથી ફરીથી આરેમાં ખસેડવામાં આવ્યો. આ વિવાદમાં મેટ્રો કારશેડ અટવાઈ ગયો.

હવે મેટ્રો-6નું કામ ઝડપથી ચાલુ છે ત્યારે કારશેડની સમસ્યા ઉકેલવી જરૂરી હતું. એ અનુસાર એમએમઆરડીએએ રાજ્ય સરકાર પાસે પ્રયત્ન કર્યા. એને સફળતા મળી છે. એ અનુસાર રાજ્ય સરકાર આ જમીન મેટ્રો-6ના કારશેડ માટે આપવા સંમતિ આપવામાં આવી છે. આ જમીન એમએમઆરડીએને આપવાની પ્રક્રિયા શરૂ કરવાનો લેખિત આદેશ સરકારે આપ્યાની માહિતી મળી છે. આ જમીન એમએમઆરડીએએ આપવા માટે હાઈ કોર્ટની પરવાનગી જરૂરી છે. એના માટે કોર્ટમાં અરજી દાખલ કરવી એવો આદેશ મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીને આપવામાં આવ્યો છે.

મેટ્રો-6નો રૂટ આવો છે
મેટ્રો-6 રૂટ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડવાનો છે. જોગેશ્વરીથી વિક્રોલીનું અંતર ઓછું થશે. 15.31 કિલોમીટર લાંબા આ રૂટમાં 13 મેટ્રો સ્ટેશનનો સમાવેશ છે. એના માટે અંદાજે 6 હજાર 672 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. પૂર્ણપણે એલિવેટેડ આ રૂટના સ્ટેશનમાં લોખંડવાલા કોમ્પ્લેક્સ, આદર્શનગર, મોમીન નગર, જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ, શ્યામ નગર, મહાકાલી કેવ્ઝ, સીપ્ઝ વિલેજ, સાકી વિહાર રોડ, રામ બાગ, પવઈ તળાવ, આઈઆઈટી પવઈ, કાંજુરમાર્ગ પશ્ચિમ અને વિક્રોલી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો સમાવેશ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us