મુંબઈના સાર્વજનિક ઠેકાણા થતા કચરાના ઢગલા બાબતે કરેલી ફરિયાદનું નિરાકરણ થાય, કચરા બાબતે નાગરિકો ફરિયાદ કે સૂચના નોંધાવી શકે એના માટે મુંબઈ મહાપાલિકાએ વોટ્સએપ ચેટબોટ નંબર ઉપલબ્ધ કર્યો છે. આ નંબરના માધ્યમથી મળનારી ઘનકચરા બાબતની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે. પર્યાવરણ દિનનું ઔચિત્ય સાધીને સોમવાર 5 જૂનથી આ સેવા શરૂ થશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સંકલ્પનામાંથી મુંબઈ ઘનકચરા વ્યવસ્થાપન વધુ અસરકારક કરવા નાગરિકો માટે સીધા સંપર્ક સેવા ઉપલબ્ધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એ અનુસાર મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલ સિંહ ચહલ, અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (શહેર) આશીષ શર્માના માર્ગદર્શન હેટળ, ઉપાયુક્ત (ઘનકચરા વ્યવસ્થાપન) ચંદા જાધવની સૂચના અનુસાર ઘનકચરા વ્યવસ્થાપન ખાતાએ આ નવી વોટ્સએપ ચેટબોટ સુવિધા નાગરિકો માટે ઉપલબ્ધ કરી આપી છે.
ચોમાસામાં ખાડામુક્તિ માટે એપ
મુંબઈ મહાપાલિકાએ ચોમાસામાં રસ્તા પર પડતા ખાડા ચોવીસ કલાકમાં બુઝાવવા માટે એમસીજીએમ 24ઓ7 નામનો મોબાઈલ એપ શરૂ કર્યો છે. દરેક વોર્ડ માટે સ્વતંત્ર મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે. એની જવાબદારી આસિસ્ટંટ એન્જિનિયરને આપવામાં આવી છે. એ સાથે જ ખાડાઓની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે.
મુંબઈમાં આ વર્ષના ચોમાસામાં રસ્તા ખાડામુક્ત હોય એ માટે મુંબઈ મહાપાલિકાએ ખાડો દેખાડો અને 24 કલાકમાં એ ખાડામુક્ત કરો ઉપક્રમ શરૂ કર્યો છે. એપમાં 227 વોર્ડના આસિસ્ટંટ એન્જિનિયરના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા રસ્તા પર પડેલા ખાડાના ફોટો અપલોડ કરવા તેમ જ તેમણે કરેલી ફરિયાદની અપડેટ સંબંધિત ફરિયાદીને મેસેજ દ્વારા આપવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG